સ્વામિનારાયણ-સનાતન વિવાદ: મોરારી બાપુએ કહ્યું "મેં અમુક લોકોને ક્યારેય રામ મંદિરે આવતા જોયા નથી"


  • Published By :
  • Published Date : 2023-09-13 17:10:28

સાળંગપુર હનુમાનજી મંદિરમાં વિવાદાસ્પદ ભીંતચિંત્રોથી શરૂ થયેલો વિવાદ દિન પ્રતિ દિન વકરી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મની વચ્ચે ચાલી રહેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કરતો વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.  હવે આ મામલે જાણીતા રામકથાકાર મોરારિબાપુએ પણ નિવેદન આપ્યું છે.


શું કહ્યું મોરારી બાપુએ?


મોરારી બાપુએ વ્યાસપીઠ ઉપરથી નિવેદન આપ્યું છે કે 'ખ્રિસ્તી લોકો ધર્માંતરણ કરાવે છે જે યોગ્ય નથી. ઇસ્લામ ધર્મના કેટલાક કહેવાતા આતંકી તત્વો બીજાને કાફર કહીને કતલે આમ કરે છે તે પણ યોગ્ય નથી. પરંતુ આ બધું તો દેખાય છે. કેટલાક આપણામાં જ રહીને દાવો કરે છે કે, રામકૃષ્ણ- વેદ આદી છે જ નહીં, માત્ર અમે જ છીએ. ક્યાં આપણો સનાતન ધર્મ કે, આપણા મહાદેવ કે આપણી જગદંબા ક્યાં રામ અને કૃષ્ણ. મેં અમુક લોકોને ક્યારેય રામ મંદિરે આવતા જોયા નથી ત્યારે તમે શું એકતાની વાતો કરો છો. અમુક સંપ્રદાયના લોકો અયોધ્યાની બાજુમાંથી નીકળીને જાય છે તેમ છતાં રામજી મંદિરે દર્શન કરવા નથી જતા. ઉલ્લેખનીય છે કે, ભગવાન સ્વામીનારાયણ એટલે કે ઘનશ્યામ પાંડેના જન્મસ્થાન છપૈયા ખાતે દર્શન કરવા જનારા સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની વાત મોરારિબાપુએ આડકતરી રીતે પ્રહારો કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે અમુક સંપ્રદાયના લોકો પહેલી વખત કાઠીયાવાડમાં આવ્યા ત્યારે કોઈ રોટલો પણ તેમને આપતું નહોતું ત્યારે રામજી મંદિરે તેમને ઓટલો આપ્યો હતો. વડલો સનાતનનો કહેવાય અને ભીંડો ભાદરવાનો કહેવાય આ કહેવત કહીને મોરારીબાપુએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર નિશાન સાધ્યું હતું.


વિવાદ કેમ વકર્યો?


સ્વામિનારાયમ સંપ્રદાયના એક સંત બ્રહ્મસ્વરૂપ સ્વામીનો વિડિયો હાલ ખૂબ વાયરલ થયો છે, જેમાં તે બફાટ કરી રહ્યા છે કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. બ્રહ્મસ્વરુપ સ્વામીએ જણાવ્યું કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ વધુમાં કહ્યું હતું કે, 'જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. તેમણે વધુમાં કહ્યું કે, ઘણાં કુળદેવી પકડી રાખે છે મુકતા નથી પણ તેમને મુકી દેવા પડે છે. જાણે કે, કુળદેવી નારાજ થઈ જશે પરંતુ નારાજ ન થાય પગે લાગે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ઉમેર્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.'



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!