કથાકાર મોરારી બાપુએ હિન્દુત્વના મોભી ગણાતા સંગઠનના વડા પર વ્યાસપીઠ પરથી ઉઠાવ્યા સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 12:36:32

થોડા સમય પહેલા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્ય સંચાલક મોહન ભાગવત મદરેસાની મુલાકાતે ગયા હતા. તેમની મુલાકાતને લઈ અનેક વિવાદો થયા હતા. રાજકીય પાર્ટી ઉપરાંત કથાકારો પણ તેમની મુલાકાત પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. તેમની આ મુલાકાતને લઈ કથાકાર મોરારી બાપુએ હિંદુત્વના મોભી ગણાતા સંગઠનના વડા પર કટાક્ષ કર્યો છે.

 મદરેસાની મુલાકાત પર મોરારી બાપુએ ઉઠાવ્યા સવાલ

રામ કથા માટે જાણીતા મોરારી બાપુ પોતાની કથા દરમિયાન અનેક વખત ગઝલ ગાતા હોય છે. ગઝલમાં આવતા ઉર્દુ શબ્દને લઈ અનેક વખત વિખવાદ પણ છેડાયો છે. હિંદુત્વનું નામ લઈ તેમના પર પ્રહાર કરવામાં આવ્યા છે. વ્યાસ પીઠ પરથી ઉર્દુ શબ્દોનું ઉચ્ચારણ ન કરવું જોઈએ તેવું અનેક વખત કહેવામાં આવ્યું છે. ત્યારે હવે મોરારી બાપુએ નામ લીધા વગર આરએસએસ વડાની મદરેસા મુલાકાત પર સવાલ ઉઠાવ્યો છે. 

RSS सरसंघचालक मोहन भागवत पहुंचे मस्जिद में । - MKV NEWS


પોતાની રામ કથા દરમિયાન વ્યાસ પીઠ ઉપરથી તેમણે કહ્યું કે તેમની કથા દરમિયાન ગવાતી ગઝલમાં ઉર્દુ શબ્દ આવે તો તેમના પર વાક પ્રહાર શરૂ થઈ જાય છે. પરંતુ જ્યારે હિંદુત્વના મોભી ગણાતા સંગઠનના પ્રમુખ મદરેસામાં જઈ ઈમામ સાથે વાતચીત કરે છે ત્યારે તેમને કોઈ કેમ નથી બોલતું કે કેમ કોઈ ટીકા નથી કરતું.   



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.