Morari Bapuએ યુવાનોને આપી સલાહ, કહ્યું કે : ગામડાઓમાં રહેતા લોકોને Heart Attack એટલા માટે નથી આવતો, કારણ કે...


  • Published By :
  • Published Date : 2023-11-06 13:58:24

કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની વયે યુવાનો મોતને ભેટી રહ્યા છે. યુવાનોમાં વધી રહેલા કિસ્સાઓએ સરકારની ચિંતા વધારી છે. શા માટે યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે તેનું કારણ જાણવા માટે ડોક્ટરની કમિટી તપાસ કરી રહી છે. રિસર્ચ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે મોરારી બાપુએ હાર્ટ એટેકને લઈ નિવેદન આપ્યું છે. મહુવા ખાતે કથાની પુર્ણાહુતી દરમિયાન તેમણે કહ્યું કે તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ એટેક નહીં આવે. તાળી પાડવાથી બંધ નળીઓ ખુલી જશે અને હાર્ટ એટેક નહીં આવે.

તાલી પાડવાથી નળીઓ ખુલી જાય છે - મોરારી બાપુ 

યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અનેક કિસ્સાઓ, સમાચારો સામે આવતા રહે છે જેમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે. રાજ્યમાં વધતા હાર્ટ એટેકને કારણે સરકાર પણ ચિંતામાં મૂકાઈ છે. નિષ્ણાતોની ટીમ આનું કારણ જાણવા માટે રિસર્ચ કરી રહી છે. આજે પણ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય તેવી માહિતી સામે આવી છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે કથાકાર મોરારી બાપુએ એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ એટેક નહીં આવે. આનો તર્ક આપતા તેમણે કહ્યું કે તાળી પાડવાથી બંધ નળીઓ ખુલી જશે અને હાર્ટ એટેક નહીં આવે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો કરતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક આવતો ન હતો. તેમજ ગામડાનાં લોકો ઉલી ઊલીને તાળીઓ પાડતા હતા. આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ છે.  હું કહું છું તાળી પાડીને અંતરનાં દરવાજા ખોલજો એટેક નહી આવે.  


યુવાનો પર વધી રહ્યો છે હાર્ટ એટેકનો ખતરો!

મહત્વનું છે કે હાર્ટ એટેકના કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. કોઈ ગરબા રમતા રમતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. સાજો લાગતો માણસ ક્યારે ગમે ત્યારે મરી જાય છે તેવા વીડિયો તેવા સમાચારો આપણે જોયા છે. ત્યારે મોરારી બાપુએ હાર્ટ એટેકને લઈ આપેલું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.   


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.