મોદી સરકાર સામે વિપક્ષ એકજુથ, સંસદના ચોમાસુ સત્રમાં આ મુદ્દાઓ પર સરકારને ઘેરવા બનાવી રણનીતિ


  • Published By :
  • Published Date : 2023-07-16 13:46:25

કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારને ઘેરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કોંગ્રેસના અગ્રણી નેતા જયરામ રમેશે સંકેત આપ્યો કે કોંગ્રેસ કેજરીવાલ સરકારની સાથે છે. જયરામે સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી કોંગ્રેસ સંસદીય રણનીતિ જૂથની બેઠકમાં હાજરી આપી હતી. વિપક્ષોની બેઠકમાં સંસદના આગામી ચોમાસુ સત્રમાં ઉઠાવવામાં આવનાર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસની યાદીમાં મણિપુર હિંસાનો મુદ્દો સૌથી મહત્વનો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે અમે ગૃહમાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગીએ છીએ. પહેલો મુદ્દો મણિપુરનો છે. અમે ઈચ્છીએ છીએ કે વડાપ્રધાનની હાજરીમાં મણિપુરની સ્થિતિ પર ચર્ચા થાય. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. 


આ મુદ્દાઓ પર સરકારને ઘેરશે વિપક્ષ


કોંગ્રેસના નેતા જયરામ રમેશે અગાઉ, સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી કોંગ્રેસ સંસદીય રણનીતિ જૂથની બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં સંસદના આગામી ચોમાસુ સત્રમાં ઉઠાવવામાં આવનાર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જયરામ રમેશે બેઠક બાદ કહ્યું કે અમે કેન્દ્ર સરકાર દ્વારા સંઘીય માળખા પરના હુમલાને રાજ્યપાલો દ્વારા સંસદમાં ઉઠાવીશું. આ સિવાય કોંગ્રેસ મણિપુર હિંસા, બાલાસોર ટ્રેન દુર્ઘટના, GSTને PMLA હેઠળ લાવવું, મોંઘવારી,મહિલા કુસ્તીબાજોની સતામણી, અદાણી હિંડનબર્ગ વિવાદ મુદ્દે જેપીસીની માંગ સહિતના મુદ્દે વિપક્ષ સંસદમાં સરકારને ઘેરશે.




હમણાં થોડાક સમય પેહલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં હુથી બળવાખોરો પર યમનમાં બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા . પરંતુ જયારે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર થકી સ્ટ્રાઇક કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ બહાર આવ્યું . શરૂઆતમાં ભારતને તેમણે કહ્યું કે આતંકવાદની સામેની લડાઈમાં અમે ભારત જોડે છીએ. હવે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે સમાધાન કરવા નીકળી પડ્યા છે. આમ તેઓ બાપ બનવા નીકળી પડ્યા છે.

હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?