આતુરતાનો આવશે અંત! આગામી 24 કલાકમાં ચોમાસની વિધિવત થશે એન્ટ્રી, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-25 11:32:48

મેઘ મહેરની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી 24 કલાકમાં વિધિવત ચોમાસની એન્ટ્રી થઇ જશે.આજ સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી મોહાલ છવાયો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદ થઇ શકે છે.


મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી


હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 24 કલાકમાં ચોમાસાની એન્ટ્રી થશે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, નૈઋત્યનું ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં વિધીવત રીતે ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ચોમાસાની એન્ટ્રી થશે, અને આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર રીતે મેઘરાજાની એન્ટ્રી થશે. ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદનો અનુમાન છે. 


આ જિલ્લાઓમાં વરસાદની આગાહી


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ, દમણ દાદરા નગર હવેલી, નર્મદા, આણંદ, ભરૂચ, વડોદરામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે.


ગઈ કાલે આ જિલ્લાઓમાં થઈ મેઘમહેર


સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના ગોધરામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગોધરામાં માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત ગઈકાલે વડોદરા જિલ્લાના ડેસરમાં 2.7 ઈંચ, આણંદમાં 2.4 ઈંચ, પંચમહાલ જિલ્લાના કાલોલમાં 2.04 ઈંચ, ભાવનગર જિલ્લાના જેસરમાં 2.04 ઈંચ, પંચમહાલ જિલ્લાના હાલોલમાં 2 ઈંચ, આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં 1.9 ઈંચ, ખેડા જિલ્લાના ઠાસરામાં 1.6 ઈંચ, વડોદરા જિલ્લાના સાવલીમાં 1.6 ઈંચ, પંચમહાલના ઘોઘંબામાં 1.3 ઈંચ, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં 1.2 ઈંચ, ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં 1.2 ઈંચ, વડોદરામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 68 જેટલા જિલ્લાઓમાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 12 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજ્યના 23 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત 44 તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!