દેશના અનેક રાજ્યોમાં જામ્યું ચોમાસુ! ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક બિલ્ડીંગો ધરાશાયી થતા સર્જાઈ દુર્ઘટના, જુઓ વરસાદને લઈ શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-27 10:15:40

દેશમાં ચોમાસાના આગમનની સાથે જ તબાહીના દ્રશ્યો પણ આપણી સામે આવી રહ્યા છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે લોકોના જીવ ગયા છે. ચોમાસુ લગભગ દેશના મુખ્યત્વે રાજ્યોમાં પહોંચી ગયું છે. ભારે વરસાદને કારણે તેમજ તેજ હવાને કારણે અનેક જગ્યાઓથી ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ભૂસ્ખલન સિવાય ઘરો ધરાશાયી થઈ રહ્યા છે જેને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. આગામી 24 કલાક દરમિયાન દેશના અનેક રાજ્યો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે દેશના અનેક રાજ્યોથી લોકોના મોતના સમાચાર તેમજ ભારે નુકસાની થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

અનેક રાજ્યોમાંથી સામે આવ્યા નુકસાનીના દ્રશ્યો

ચોમાસાની રાહ લોકો આતુરતાથી જોતા હોય છે. દેશના લગભગ દરેક રાજ્યમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરી છે. જે મુજબ આગામી બે દિવસો દરમિયાન દેશના લગભગ 25 રાજ્યોમાં બારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે હજી સુધી વરસેલા વરસાદને કારણે અનેક રાજ્યોથી નુકસાનીના સમાચારો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે અનેક રાજ્યોમાં ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે. જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.


ભૂસ્ખલન થવાને કારણે અનેક રસ્તાઓ થયા બંધ  

ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં બે ભૂસ્ખલન થવાની ઘટના સામે આવી હતી. ભૂસ્ખલન થવાને કારણે નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. તે સિવાય ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવેને ઘણું નુકસાન પહોંચ્યું છે. તે સિવાય બિલ્ડીંગ ધરાશાયી થવાને કારણે પણ અનેક લોકોના મોત થયા છે. બિલ્ડીંગ ધરાશાયી થવાને કારણે તેમજ ભૂસ્ખલન થવાને કારણે અંદાજીત 6 રાજ્યોમાં 22 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો  ઘાયલ થયા છે. તે સિવાય વીજળી પડવાને કારણે રાજસ્થાનમાં પણ લોકોના મોત થયા છે. 

આ રાજ્યો માટે હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ સુધી ઉત્તરાખંડ, ઝારખંડ. ગોવા, છત્તીસગઢ. આસામ, મેધાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, સહિતના રાજ્યોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય અરૂણાચલ પ્રદેશ, મણિપુર, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, દિલ્હી સહિતના રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે અનેક રાજ્યોમાં એટલો વધારે વરસાદ વરસ્યો છે કે પાણી ભરાઈ ગયા છે. ગરમીથી લોકોને છૂટકારો મળ્યો છે પરંતુ વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધી છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.