આ વખતે મેઘસવારીમાં થશે થોડો વિલંબ, 4 જૂન સુધીમાં કેરળમાં ચોમાસાની એન્ટ્રી: હવામાન વિભાગ


  • Published By :
  • Published Date : 2023-05-16 18:18:19

ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ (IMD)એ મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશમાં ચોમાસાનું આગમન મોડું થશે. આમ તો સામાન્ય રીતે દેશમાં 1 જૂન સુધી કેરળમાં ચોમાસાની એન્ટ્રી થાય છે. પરંતું આ વખતે 4 જુન સુધી રાહ જોવી પડશે. ચોમાસાની મોડી એન્ટ્રીના કારણે દેશમાં સામાન્ય લોકો અને ખેતીવાડી પર અસર પડી શકે છે. 


96% વરસાદનું અનુમાન


હવામાન વિભાગ (IMD) એ તેની અગાઉની આગાહીમાં કહ્યું હતું કે આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહી શકે છે. આ વર્ષે સરેરાશ 96% વરસાદ થવાનું અનુમાન છે. હવામાન અહેવાલો જારી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટે પણ કહ્યું છે કે આ વર્ષે ચોમાસું શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. સ્કાયમેટના ફાઉન્ડર-ડાયરેક્ટર જતિન સિંહના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસું 1 જૂનને બદલે 7 જૂન સુધીમાં કેરળમાં આવી શકે છે. સ્કાયમેટ અનુસાર, 18 મેના રોજ ઉત્તર ભારતમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે અને વાવાઝોડું આવી શકે છે.


7 દિવસ સુધી પારો વધશે પરંતુ હીટવેવની આશા નથી


ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મેના પ્રથમ પખવાડિયામાં લૂની સ્થિતિ ઓછી ગંભીર હતી. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ઉત્તર-પશ્ચિમ ભારતના ભાગોને અસર કરી હતી. આગામી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યું હોવાથી, આગામી 7 દિવસ સુધી આ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિની કોઈ આશા નથી. જો કે, આ સમય દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 


કેરળ બાદ અન્ય ભાગોમાં ચોમાસું સક્રિય થાય છે


ચોમાસાનો પ્રારંભ સમયસર થાય તેનું ભારત માટે વિશેષ મહત્વ છે. આમાં વિલંબ થવા પર અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ખેડૂતો પર આ કારણે વિશેષ અસર થાય છે અને તેમની વાવણી અને ખેતી પ્રભાવિત થાય છે. ચોમાસું કેરળથી શરૂ થાય છે અને દેશના બાકીના ભાગમાં સક્રિય થાય છે. આવી સ્થિતિમાં, જો કેરળમાં ચોમાસાના આગમનમાં વિલંબ થાય છે, તો દેશના બાકીના ભાગોમાં  શું સ્થિતિ સર્જાય તે સમજી શકાય છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!