Ahmedabadની આ સોસાયટીમાં આજે પણ કરાય છે મહોલ્લા માતાની સ્થાપના, તસવીરો જોઈ બાળપણના દિવસો યાદ આવશે!


  • Published By :
  • Published Date : 2023-10-18 14:16:30

હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. ઠેર-ઠેર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. સોસાયટીમાં, પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ ગરબા રમતા હોય છે. ગમે તે તહેવાર કેમ ન હોય પરંતુ તેની ઉજવણી ત્યાં સુધી અધૂરી લાગે છે જ્યાં સુધી એ તહેવારમાં ગરબા ન કરવામાં આવે. ગરબાને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ હોય છે. પહેલા શેરીઓમાં ગરબા રમતા હતા, તે પછી સોસાયટીમાં ગરબાની શરૂઆત થઈ અને હવે તો પાર્ટી પ્લોટમાં ગરબા રમાઈ રહ્યા છે. દરેક પર્વની સાથે પરંપરાઓ જોડાયેલી હોય છે પરંતુ સમયની સાથે સાથે એ પરંપરાઓમાં બદલાવ આવતા હોય છે અથવા તો એ પરંપરા વિસરાઈ જતી હોય છે. ત્યારે આવી જ એક પરંપરા છે જ્યાં ગરબા રમાતા હોય ત્યાં માટીથી ગબ્બર બનાવી માતાજીની સ્થાપના કરવી.   અમદાવાદ: નવરાત્રી આવતા જ આપણને સૌને બાળપણના દિવસો યાદ આવી જાય છે. પહેલા શેરી ગરબા થતા હતા. જેમાં બધા છોકરાઓ ભેગા મળી ગબ્બર બનાવતા.જ્યારે આજના ટેકનોલોજીના યુગમાં આપણી સંસ્કૃતિ ધીમે ધીમે ભૂંસાઈ રહી છે. ત્યારે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી કર્મભૂમિ સોસાયટીના બાળકો દ્વારા સુંદર પાવાગઢ બનાવવામાં આવ્યો છે.


મહોલ્લા માતાની કરવામાં આવતી હતી સ્થાપના 

કોઈ પણ તહેવાર આપણે ઉજવીય છે તેની પાછળ સંસ્કૃતિ, પરંપરા જોડાયેલી હોય છે. નવરાત્રીની ઉજવણી દરમિયાન ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. એક સમય હતો જ્યારે નવરાત્રી દરમિયાન બાળકો દ્વારા મહોલ્લા માતા બનાવવામાં આવતા. મહોલ્લા માતાજીની સ્થાપના કરવામાં આવતી હતી. પરંતુ સમયની સાથે સાથે આ પરંપરા વિસરાઈ ગઈ. હવે ટેબલ પર માતાજીનો ફોટો રાખવામાં આવે છે અને તેની આજુબાજુ ગરબા કરવામાં આવે છે. પરંતુ એક સમય હતો જ્યારે મહોલ્લા માતાની આસપાસ ગરબા રમાતા હતા. પરંતુ મહોલ્લા માતાની સ્થાપના નથી કરવામાં આવતી. ત્યારે અમદાવાદમાં આજે પણ એક સોસાયટી છે જ્યાં માટીના મહોલ્લા માતાની સ્થાપના કરવામાં આવી છે.

 સોસાયટીમાં નવરાત્રિ દરમિયાન નવ દિવસ મહોલ્લા માતાની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવાની પ્રાચીન પરંપરાને હજુ પણ કેટલીક જગ્યાએ જાળવી રાખી છે. જેમાં નવા નરોડાની કર્મભૂમિ સોસાયટી, સિટી વિસ્તારની માંડવીની પોળ, વિંછીની પોળ વગેરે જગ્યાએ માટીમાંથી પહાડ, નદી, તળાવ, રસ્તા, ગુફા વગેરે બનાવવામાં આવે છે. સાથે સાથે ફુવારા, ઉડનખટોલા, નાના નાના રમકડાથી સજાવટ પણ કરવામાં આવે છે.

નવરાત્રી પહેલા સોસાટીમાં બાળકો બનાવતા હતા મહોલ્લા માતા 

બાળકોમાં નાનપણથી ઈશ્વર પ્રત્યે આસ્થા જાગે તે માટે વાલીઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા હોય છે. ઘરમાં ધાર્મિક વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. માતાજી પ્રત્યે બાળકોને આસ્થા જાગે તે માટે ગામ, સોસાયટી, પોળમાં ગબ્બરની સ્થાપના કરવામાં આવે છે. માતાજીના તીર્થસ્થાન એવા ગબ્બરને બનાવવામાં આવે છે અને એમાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે. મહોલ્લા માતા બનાવવામાં આવે છે જેમાં માટીમાંથી પહાડ, નદી, તળાવ, રસ્તા, ગુફા વગેરે બનાવવામાં આવે છે. સાથે સાથે ફુવારા, ઉડનખટોલા, નાના નાના રમકડાથી સજાવટ પણ કરવામાં આવે છે. પરંતુ ધીરે ધીરે આ પરંપરા બદલાઈ રહી છે. 

  નવરાત્રી દરમિયાન શેરીઓમાં ગબ્બર બનાવવાનું અનોખું મહત્વ રહેલું છે. ત્યારે આ ગબ્બર પર બિરાજતા મહોલ્લા માતા જેને લોકો મલ્લા માતાના નામથી ઓળખે છે. કહેવાય છે કે મલ્લા માતાની સ્થાપના કરવાથી માતાજી આખું વર્ષ તમારા મહોલ્લા એટલે કે સોસાયટીની રક્ષા કરે છે. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે બદલાતા સમય સાથે આ પરંપરા વિસરાઈ રહી છે.

નરોડામાં આવેલી આ સોસાયટીમાં બાળકોએ પાવાગઢ બનાવ્યો   

સમયની સાથે પરંપરામાં અનેકો બદલાવ આવતા હોય છે. અનેક પરંપરાઓ એવી છે જે વિસરાઈ જતી હોય છે. આ નવરાત્રીમાં જ અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં રોબોટ દ્વારા આરતી કરવામાં આવે છે. સમયની સાથે માણસો પોતાની પરંપરા ભૂલતો જાય છે. મહોલ્લા માતા બનાવ્યા હોય તેવી સોસાયટીઓ તો મળતી નથી પરંતુ અમદાવાદમાં એક એવી સોસાયટી છે જ્યાં આજે પણ બાળકો દ્વારા મહોલ્લા માતાની સ્થાપના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહોલ્લા માતાની સ્થાપના કરવાથી માતાજી આખું વર્ષ સોસાયટીની રક્ષા કરે છે. ત્યારે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી કર્મભૂમિ સોસાયટીના બાળકો દ્વારા સુંદર પાવાગઢ બનાવવામાં આવ્યો છે. તમે પણ તમારા નાનપણમાં આવો પાવાગઢ બનાવ્યો છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવો... 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!