પ્રસાદ વિવાદનો અંત આવતા અંબાજીમાં બની રહ્યો છે મોહનથાળનો પ્રસાદ, માતાજીને ધરાવ્યા બાદ ભક્તોમાં વહેચાશે


  • Published By :
  • Published Date : 2023-03-15 15:15:48

શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરવામાં આવતા માઈ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી. મોહનથાળની બદલીમાં ચિક્કીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો ભક્તોએ વિરોધ કર્યો હતો. પ્રસાદ બંધ કરાતા અનેક સંગઠનો દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો ઉપરાંત કલેક્ટરને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વધતા જતા વિરોધને લઈ હર્ષ સંઘવીએ બેઠક બોલાવી હતી. જે બાદ મોહનથાળનો પ્રસાદ યથાવત રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. આ નિર્ણયને કારણે માઈભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી. ત્યારે આજથી મોહનથાળ પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

IMG 20230315 080919

જિલ્લા કલેક્ટરને કરાઈ હતી અનેક રજૂઆત 

એકાએક શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં માઈભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. પ્રસાદ બંધ કરાતા કોંગ્રેસ, વિશ્વ હિંદુ પરિષદ સહિતના અનેક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી હતી. તે ઉપરાંત ભક્તો દ્વારા નિ:શુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસાદનો વિવાદ વધતો જઈ રહ્યો હતો.


માઈભક્તોને અપાઈ રહ્યો છે મોહનથાળનો પ્રસાદ 

પ્રસાદને લઈ સરકાર દ્વારા અનેક નિવેદનો સામે આવ્યા હતા. વધતા વિરોધને લઈ સરકારે અચાનક એક મીટિંગ બોલાવી હતી. જેમાં ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. મીટિંગ બાદ મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે મોહનથાળની સાથે સાથે ચિક્કીનો પ્રસાદ પણ આપવામાં આવશે. આ જાહેરાતને લઈ માઈભક્તોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જાહેરાત બાદ મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. માતાજીને ધરાવ્યા બાદ માઈભક્તોને મોહનથાળનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.    




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!