મોહનથાળ પ્રસાદનો ગરમાયો મુદ્દો! અંબાજીમાં આજે કરાયું છે બંધનું એલાન, કોંગ્રેસે પણ આ મુદ્દાને લઈ કર્યો હતો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-03-11 11:41:34

છેલ્લા અઠવાડિયાથી શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે. મોહનથાળની બદલીમાં ચિક્કીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. મોહનથાળ પ્રસાદ બંધ થતા માઈ ભક્તોમાં નારાજગી વ્યાપી ઉઠી હતી. મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની ભક્તો માગ કરી રહ્યા છે. જો પ્રસાદ ફરી શરૂ નહીં થાય તો આંદોલન કરવાની ચિમકી વિવિધ સંગઠન દ્વારા આપવામાં આવી છે. કોંગ્રેસ પણ આ મુદ્દાને લઈ ગંભીર બની છે. ત્યારે આજે અંબાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજીમાં ધંધા-રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવશે. અંબાજી હિત રક્ષા સમિતિ દ્વારા આ બંધનું એલાન કરવામાં આવ્યું છે.

New Project 2023 03 11T100812.781



અંબાજીમાં કરાયું છે બંધનું એલાન  

મોહનથાળ પ્રસાદનો વિવાદ સતત વધી રહ્યો છે. ગયા અઠવાડિયાથી શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળની બદલીમાં ચિક્કીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. મહાપ્રસાદ ગણાતા મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા માઈભક્તોમાં તેમજ સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ચિક્કી લેવાનું ભક્તો ટાળી રહ્યા છે. વિવિધ સંગઠનો દ્વારા મોહનથાળ પ્રસાદ ફરી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી આ અંગે નિર્ણય લેવાયો નથી. ત્યારે આજે અંબાજી બંધનું એલાન અંબાજી હિત રક્ષા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. લોકો સ્વૈચ્છિક રીતે ધંધા રોજગાર બંધ રાખશે. આ મુદ્દો ધાર્મિક મુદ્દો છે પરંતુ તેમાં રાજકારણની એન્ટ્રી થઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પણ ધરણા કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. 


કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં કરાયો હતો વિરોધ 

વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન અનેક મુદ્દાઓ પર કોંગ્રેસ દ્વારા પ્રશ્નો અને મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. અનેક વખત વિરોધ પ્રદર્શન પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે  મોહનથાળ પ્રસાદનો મુદ્દો પણ ગૃહમાં ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં મોહનથાળની વહેંચણી કરી હતી. બોલ મારી અંબે જય જય અંબેના નારા લગવી ગૃહની બહાર નીકળી ગયા હતા. તે ઉપરાંત કોંગ્રેસ રવિવારે મંદિરોમાં મોહનથાળ પ્રસાદની વહેંચણી કરવાની છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.