મોહનસિંહ રાઠવાનું કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું, ભાજપમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-08 17:37:59

છોટાઉદેપુરના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં દાયકાઓથી જીતતા આવતા કદાવર નેતા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા છે. મોહનસિંહ રાઠવા કોંગ્રેસમાંથી રાજીનામું આપશે તેનો અર્થ એવો થઈ શકે કે હવે નારણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવાને ટિકિટ મળશે. 


કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને આપ્યું રાજીનામું

અગાઉ પણ મોહનસિંહ રાઠવાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. જ્યારે હવે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદિશ ઠાકોરને પત્ર લખીને જાણ કરી છે. પત્રમાં તેમણે લખ્યું હતું કે તેઓ છોટાઉદેપુર 137 બેઠક પરથી રાજીનામું આપે છે. તેમણે પત્રમાં લખ્યું છે કે કોંગ્રેસના સદસ્ય સહિતના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું. મોહનસિંહ રાઠવા તેમના પુત્ર માટે ટિકિટ માગી રહ્યા હતા. તેમનું જણાવવું હતું કે યુવાનોને ટિકિટ મળે તો સારું. 


કોણ છે મોહનસિંહ રાઠવા?

મોહનસિંહ રાઠવા 1972થી ધારાસભ્ય પદે છે. તેઓ સતત 11 ટર્મથી ચૂંટણી લડતા આવ્યા છે અને 10 વાર ચૂંટણી જીત્યા છે. મોહનસિંહ રાઠવા બે વાર લોકસભા માટે પણ ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમનો હારનો સામનો કરવો પડ્યો હતો








21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.