RSSના સ્થાપના દિવસે મોહન ભાગવતે કરી અનેક મુદ્દાઓ પર વાત, કહ્યું શક્તિ જ શાંતિનો આધાર છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 15:49:44

વિજયા દશમીના દિવસે શસ્ત્રપૂજન કરવાની પરંપરા છે. ત્યારે નાગપુર ખાતે સ્થિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું છે. 1925માં વિજયા દશમીના દિવસે રાષ્ટ્રીય સેવા સંઘની સ્થાપના કરવામાં આવી હતી. શસ્ત્ર પૂજા બાદ આરએસએસના વડા મોહન ભાગવતે સંબોધન આપ્યું હતું.

'સમાન જનસંખ્યા પોલિસી બનવી જોઈએ' 

સંઘ પ્રમુખે પોતાના વ્યક્ત દરમિયાન જનસંખ્યા પર નિવેદન આપ્યું હતું. પોતોના સંબોધનમાં તેમણે કહ્યું કે દેશમાં ગંભીર મંથન બાદ વ્યાપક જનસંખ્યા પોલિસી લાવી જોઈએ. જનસંખ્યામાં પ્રમાણનું પણ સંતુલન હોવું જોઈએ, આપણે જનસંખ્યા અસંતુલનના ગંભીર પરિણામો ભોગવ્યા જ છે. 50 વર્ષ પહેલા બનેલું પરંતુ આજના સમયે પણ એવું જ બની જ ગયું છે. વસ્તીનું અસંતુલન ભૌગેલિક સીમાઓમાં પરિવર્તન તરફ દોરી જાય છે. વસ્તી નિયંત્રણ અને ધર્મ આધારિત વસ્તી સંતુલન એક નાનો વિષય છે જેને હવે અવગણી શકાય તેમ નથી. તેથી એક સર્વગ્રહી વસ્તી નીતિ લાવવી જોઈએ અને તે બધા પર સમાનરૂપે લાગૂ થવી જોઈએ.

 

માતૃશક્તિ પર આપ્યું મોહન ભાગવતે નિવેદન   

વધુમાં તેમણે કહ્યું કે શક્તિએ શુભ અને શાંતિનો આધાર છે. મહિલા સશક્તિકરણ વિશે તેમણે કહ્યું કે આપણે તેમને જગતજનની માનીએ છીએ, પરંતુ તેમને બંધનમાં બાંધો તે યોગ્ય નથી. માતૃશક્તિને જાગૃત કરવાનો કાર્યક્રમ પરિવારથી શરૂ કરવો પડશે. નિર્ણય લેવામાં મહિલાઓને આગળ લાવવા પડશે. તેમનો આદર કરવો પડશે. પરિવારમાં માતૃશક્તિ અને નિર્ણયની સ્વતંત્રતાને સમાન અધિકાર આપવો જોઈએ. માણસ જે પણ કામ કરે છે તે માતૃશક્તિથી થઈ શકે છે, પરંતુ માતૃશક્તિ જે કંઈ કરી શકે છે, તે માણસ બધાં કરી શક્તો નથી. મહત્વનું છે કે પહેલી વખત વિજયા દશમીના કાર્યક્રમમાં એક મહિલાને મુખ્યમહેમાન બનાવવામાં આવ્યા હતા. 97 વર્ષના ઈતિહાસમાં આ ઘટના પ્રથમ વખત બની છે જેમાં માઉન્ટ એવરેસ્ટને બે વખત સર કરનાર ભારતીય મહિલા વિશેષ અતિથિ બન્યા હતા.

   

ભારતનું સન્માન વિશ્વભરમાં વધ્યું

મોહન ભાગવતે કહ્યું કે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. અમે લંકાને તેની નાણાકીય કટોકટીમાં મદદ કરી, યુક્રેનમાં અમેરિકા અને રશિયા વચ્ચેની લડાઈમાં અમે અમારા હિતોને સૌથી આગળ રાખ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં આપણ સતત સફળ થઈ રહ્યા છીએ અને આત્મનિર્ભર બની રહ્યા છીએ. આ કાર્યક્રમમાં નીતિન ગડકરી તેમજ દેવેન્દ્ર ફડનવીસ ઉપસ્થિત રહ્યા હતા.          



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.