ભારત જોડો યાત્રામાં જોડાવા મોહન ભાગવતને અપાયું આમંત્રણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 16:58:52

કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલની આ યાત્રા પર અનેક નેતાઓ કટાક્ષ કરી રહ્યા છે ત્યારે આ વખતે કોંગ્રેસે RSSના વડા મોહન ભાગવત પર પ્રહાર કર્યા છે. થોડા દિવસો પહેલા મોહન ભાગવત દિલ્હી ખાતે સ્થિત એક મસ્જિદમાં ગયા હતા. મસ્જિદમાં જઈ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ઈમામ સાથે મુલાકાત કરી હતી. જેને લઈ કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કટાક્ષ કર્યો હતો. પવન ખેરાએ કહ્યું કે ભારત જોડો યાત્રાને હજુ માત્ર 15 દિવસ થયા છે અને ભાજપમાં ઘણું પરિવર્તન જોવા મળી રહ્યું છે.

RSS chief is 'rashtra pita', says AIIO chief imam after meeting | India  News,The Indian Express

પવન ખેરાએ મોહન ભાગવત પર કર્યો કટાક્ષ 

ટ્વિટ કરતા તેમણે કહ્યું કે પવન ખેરાએ કહ્યું કે ભારત જોડો યાત્રાને હજું 15 દિવસ થયા છે અને ભાજપના પ્રવક્તા ગોર્ડસે મુર્દાબાદ બોલવા લાગ્યા, મંત્રીઓ મીડિયાના કારણે ફેલાતી નફરત મામલે ચિંતિંત થવા લાગ્યા અને મોહન ભાગવત ઈમામ પાસે પહોંચી ગયા.આગળ આગળ જુઓ શું બને છે.


ભારત જોડો યાત્રામાં સામેલ થવા ભાગવતને અપાયું આમંત્રણ

પવન ખેરા ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું કે, અમે લોકો મોહન ભાગવતને અનુરોધ કરીએ છીએ કે જ્યારે અમુક દિવસની યાત્રાની આટલી અસર પડી છે તો તેઓ એક કલાક માટે આ યાત્રામાં સામેલ થઈ જાય. અને રાહુલ ગાંધી સાથે ભારત માતાના નારા લગાવે.


Bharat Jodo Yatra images impact Rahul Gandhi 2022



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.