ભારત જોડો યાત્રામાં જોડાવા મોહન ભાગવતને અપાયું આમંત્રણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 16:58:52

કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલની આ યાત્રા પર અનેક નેતાઓ કટાક્ષ કરી રહ્યા છે ત્યારે આ વખતે કોંગ્રેસે RSSના વડા મોહન ભાગવત પર પ્રહાર કર્યા છે. થોડા દિવસો પહેલા મોહન ભાગવત દિલ્હી ખાતે સ્થિત એક મસ્જિદમાં ગયા હતા. મસ્જિદમાં જઈ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ઈમામ સાથે મુલાકાત કરી હતી. જેને લઈ કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કટાક્ષ કર્યો હતો. પવન ખેરાએ કહ્યું કે ભારત જોડો યાત્રાને હજુ માત્ર 15 દિવસ થયા છે અને ભાજપમાં ઘણું પરિવર્તન જોવા મળી રહ્યું છે.

RSS chief is 'rashtra pita', says AIIO chief imam after meeting | India  News,The Indian Express

પવન ખેરાએ મોહન ભાગવત પર કર્યો કટાક્ષ 

ટ્વિટ કરતા તેમણે કહ્યું કે પવન ખેરાએ કહ્યું કે ભારત જોડો યાત્રાને હજું 15 દિવસ થયા છે અને ભાજપના પ્રવક્તા ગોર્ડસે મુર્દાબાદ બોલવા લાગ્યા, મંત્રીઓ મીડિયાના કારણે ફેલાતી નફરત મામલે ચિંતિંત થવા લાગ્યા અને મોહન ભાગવત ઈમામ પાસે પહોંચી ગયા.આગળ આગળ જુઓ શું બને છે.


ભારત જોડો યાત્રામાં સામેલ થવા ભાગવતને અપાયું આમંત્રણ

પવન ખેરા ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું કે, અમે લોકો મોહન ભાગવતને અનુરોધ કરીએ છીએ કે જ્યારે અમુક દિવસની યાત્રાની આટલી અસર પડી છે તો તેઓ એક કલાક માટે આ યાત્રામાં સામેલ થઈ જાય. અને રાહુલ ગાંધી સાથે ભારત માતાના નારા લગાવે.


Bharat Jodo Yatra images impact Rahul Gandhi 2022



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે