ભારતીય ટીમને મોટો ઝટકો, મોહમ્મદ શમી કોરોના પોઝિટીવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 10:36:35

ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચોની સીરીઝ પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી સ્ટાર બોલર મોહમ્મદ શમી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મોહમ્મદ શમી કોરોના પોઝિટીવ આવ્યા બાદ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ સાથે જ શમીની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બાદ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ સાથે જ શમીની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ ભારતના પ્રવાસે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 સપ્ટેમ્બરથી ત્રણ મેચની T20 સીરિઝ રમાશે. આ સીરિઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાશે. આ શ્રેણીની શરૂઆત પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. 


મોહમ્મદ શમીને કોરોનાના હળવા લક્ષણો 


મોહમ્મદ શમી લાંબા સમય પછી ભારતીય ટીમમાં વાપસી કરવાનો હતો. તે T20 વર્લ્ડ કપમાં ભારત માટે સ્ટેન્ડબાય ખેલાડી તરીકે સામેલ હતો. હવે તેનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.BCCIના એક સુત્રએ જણાવ્યું છે કે મોહમ્મદ શમી કોવિડ-19 પોઝિટીવ આવ્યો છે. પણ તેનાથી ચિંતિત થવાની જરૂર નથી. કારણ કે તેને કોરોનાના લક્ષણો બહું હળવા છે. પરંતું તેમને આઈસોલેટ રહેવું પડશે અને ટેસ્ટમાં નેગેટીવ આવ્યા બાદ જ ટીમમાં ફરીથી સામેલ થઈ શકશે. આશા રાખવામાં આવી રહી છે કે શમી સાઉથ આફ્રિકા સામેની સીરીઝ પહેલા ફિટ થઈ જશે. તે સીરીઝ શરૂ થવામાં હવે 10 દિવસ રહ્યા છે. 


ભારતીય ટીમ અત્યાર સુધીમાં કુલ 179 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ દરમિયાન તેણે 114 મેચ જીતી છે. જ્યારે  57 મેચ હારી છે. આ સિવાય ત્રણ મેચ ટાઈ થઇ હતી તો પાંચ મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું.ઓસ્ટ્રેલિયન ટીમની વાત કરીએ તો ટીમે અત્યાર સુધીમાં 158 T20I રમી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમે 82 મેચ જીતી હતી અને 70 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 6 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે