મોહમ્મદ શમીએ કહ્યું "જય શ્રી રામ બોલવામાં વાંધો શું છે?...1000 વાર કહો શું ફરક પડે છે?"


  • Published By :
  • Published Date : 2024-02-09 17:14:11

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કહ્યું કે 'એક હજાર વખત જય શ્રી રામ અને અલ્લાહ હૂ અકબર બોલવામાં કાંઈ ખોટું નથી. કેમ કે તેનાથી કોઈ ફરક નથી પડતો'. મોહમ્મદ શમીએ ન્યૂઝ 18 સાથેની ચર્ચામાં આ વાત કહીં હતી. તેમણે કહ્યું 'દરેક ધર્મમાં તમને 5થી 10 એવા લોકો મળી જશે જે અન્ય ધર્મના લોકોને પસંદ નથી કરતા. મને તેનાથી કોઈ મુશ્કેલી નથી'. 33 વર્ષીય મોહમ્મદ શમી હાલ ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે. ઘાયલ હોવાના કારણે તે નવેમ્બર 2023માં વન ડે ટૂર્નામેન્ટ ખતમ થાય તે પહેલા બહાર થઈ ગયા છે. 


1000 વખત બોલો જય શ્રી રામ


'જો રામ મંદિર બની રહ્યું છે તો જય શ્રી રામ બોલવામાં વાંધો શું છે?' મોહમ્મદ શમીએ કહ્યું, 'જ્યારે સઝદા કરવાની વાત આવી... રામ મંદિર બની રહ્યું છે તો જય શ્રી રામ બોલવામાં વાંધો શું છે.1000 વખત બોલો જય શ્રી રામ. જો મારે અલ્લાહ હુ અકબર કહેવું હોય તો હું 1000 વાર કહીશ... તેનાથી શું ફરક પડે છે?' અગાઉ શમીએ તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે તે શા માટે તેના બંને ઘૂંટણથી જમીન પર બેઠો હતો, જેને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ સજદા કરવાનો પ્રયાસ બતાવ્યો હતો.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.