Mohammed Shami નહીં રમે IPL! Gujarat Titansને પડ્યો મોટો ફટકો! જાણો શું છે કારણ?


  • Published By :
  • Published Date : 2024-02-22 16:16:13

થોડા સમય બાદ, BCCI IPL 2024ના બહુપ્રતિક્ષિત શેડ્યૂલ જાહેર થવાનું છે. આઈપીએલને લઈ ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ હોય છે. ત્યારે આઈપીએલ મેચની મોટી અપડેટ સામે આવી છે. ગુજરાત ટાઈટન્સને મેચ પહેલા મોટો ફટકો પડ્યો છે. ન્યુઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે એવી માહિતી સામે આવી છે કે મોહમ્મદ શમી IPL 2024માંથી બહાર થઇ શકે છે કારણ કે તેમને ઈન્ઝરી થઈ છે. આ અંગેની સત્તાવાર માહિતી સામે આવી નથી પરંતુ બીસીસીઆઈના સૂત્રો પાસેથી આ માહિતી ન્યુઝ એજન્સીને મળી છે.      

આઈપીએલમાં નહીં રમે મોહમ્મદ શમી!

સૂત્રો પાસેથી જે માહિતી સામે આવી છે એ સાચી હશે તો ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો પડી શકે છે. વર્ષ 2022થી ગુજરાત ટાઈટન્સ માટે મહોમ્મદ શમી રહ્યા હતા. બંને સિઝનમાં ગુજરાત ટાઈટન્સને ફાઈનલ સુધી પહોંચાડવામાં તેમની ભૂમિકા મહત્વની હતી. ગુજરાત ટાઈટન્સ ટીમની કમાન કેપ્ટન હાર્દિક પંડ્યા સંભાળતા હતા પરંતુ તે પણ મુંબઈ ઈન્ડિયન્સમાં જતા રહ્યા હતા. હાર્દિક પંડ્યા બાદ ટીમના કેપ્ટન શુભમન ગિલને બનાવામા આવ્યા. ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે શમીને ડાબા પગમાં થયેલી ઘૂંટીની સારવાર થવાની છે. સર્જરી માટે તેમને યુકે જવું પડશે જેને કારણે તે આઈપીએલમાં રમી નહીં શકે. આઈપીએલ 2024માંથી બહાર થઈ શકે છે. 



મોહમ્મદ શમી સિવાય આ છે અનુભવી બોલર ટીમ પાસે

2022માં મોહમ્મદ શમીએ 16 મેંચોમાં 20 વિકેટ લીધી હતી અને સૌથી વધારે વિકેટ લેનાર છઠ્ઠા બોલર બન્યા હતા. જો ન્યુઝ એજન્સીને મળેલી માહિતી સાચી સાબિત થાય છે તો ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો પડી શકે છે. 2023માં મોહમ્મદ શમીએ 17 મેચોમાં 28 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમી સિવાયના બોલરની વાત કરીએ તો મોહિત શર્મા અને ઉમેશ યાદવ બોલર છે. તે સિવાય દર્શન નાલકંડે. સુશાંત મિશ્રા તેમજ કાર્તિક ત્યાગી નવા બોલર છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે