મોદી સરનેમ માનહાનિ કેસમાં સુનાવણી પહેલા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં રજુ કર્યો જવાબ, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-08-02 19:43:08

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં 'મોદી સરનેમ' મામલે વર્ષ 2019ના ફોજદારી માનહાનિના કેસમાં તેમને દોષિત ઠરાવવા પર રોક લગાવવા માટે રિજોઇન્ડર એફિડેવિટ દાખલ કરી હતી. 'મોદી સરનેમ' કેસમાં સુરતની કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીએ સાંસદનું પદ ગુમાવ્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના સોગંદનામામાં માફી માંગવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું કે તે "ગુના માટે દોષિત નથી અને સજાનો આ ચુકાદો નૈતિક રીતે ટકી શકે તેવો નથી".


રાહુલ ગાંધીએ સોગંધનામામાં શું કહ્યું?


રાહુલ ગાંધીએ પોતાના જવાબમાં કહ્યું છે કે માફી માંગીને કેસમાં ચાલી રહેલા ટ્રાયલની દિશા બદલી શકાય છે. ઉપરાંત, RP એક્ટ હેઠળ ફોજદારી પ્રક્રિયા અને તેના પરિણામોનો ઉપયોગ પણ કોર્ટમાં ચાલી રહેલી પ્રક્રિયાનો દુરુપયોગ હોઈ શકે છે. રાહુલે પોતાના સોગંદનામામાં કહ્યું છે કે કોઈ પણ જનપ્રતિનિધિને કોઈ પણ ભૂલ વિના માફી માંગવા માટે દબાણ કરી શકાય નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે માનહાનિ કેસમાં મહત્તમ સજાના પગલે તેમને સંસદનું સભ્ય પદ ગુમાવવું પડશે. પૂર્ણેશ મોદી પોતે મૂળ મોદી સમુદાયના નથી. આ પહેલા તેને કોઈપણ કેસમાં સજા થઈ નથી. માફી ન માગવા બદલ તેને ઘમંડી કહેવું ખોટું છે. આ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ફોજદારી પ્રક્રિયા સાથે ન્યાયિક પ્રક્રિયાના ઘોર દુરુપયોગ સમાન છે અને સુપ્રીમ કોર્ટે તેને સ્વીકારવું જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે 4 ઓગસ્ટે સુનાવણી કરશે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.