આતંકવાદી સંગઠન SIMI પર મોદી સરકારની કાર્યવાહી, પ્રતિબંધ વધુ 5 વર્ષ માટે લંબાવ્યો


  • Published By :
  • Published Date : 2024-01-29 20:28:16

કેન્દ્ર સરકારે આતંકવાદી સંગઠન 'સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા' (SIMI) પરનો પ્રતિબંધ લંબાવ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે આ માહિતી આપતા  તેમણે કહ્યું કે, "આતંકવાદને ક્યારેય બર્દાસ્ત નહીં કરવાના PM નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને મજબૂત બનાવતા, સિમીને UAPA હેઠળ 5 વર્ષ માટે 'ગેરકાયદેસર સંગઠન' જાહેર કરવામાં આવ્યું છે."


SIMI પર પ્રતિબંધ શા માટે લંબાવાયો?


SIMI ભારતના સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં મૂકવા માટે આતંકવાદને પ્રોત્સાહન આપવા, શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા અને શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં સામેલ થવા બદલ સરકારે સોમવારે આતંકવાદી જૂથ સિમી પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે.


2001માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો


વર્ષ 2001માં અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન સિમી પર પહેલીવાર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારથી આ પ્રતિબંધ દર પાંચ વર્ષે લંબાવવામાં આવે છે. સિમી પર છેલ્લો પ્રતિબંધ 31 જાન્યુઆરી, 2019ના રોજ લાદવામાં આવ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે