મોદી સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓમાં હિસ્સો વેચીને 4.04 લાખ કરોડ એકત્ર કર્યા


  • Published By :
  • Published Date : 2022-12-20 18:11:02

નરેન્દ્ર મોદી સરકાર સૌપ્રથમ 2014 માં સત્તામાં આવી ત્યારથી સરકારે જાહેર ક્ષેત્રના સાહસો (CPSEs)ના ડિસઇન્વેસ્ટમેન્ટ અને વ્યૂહાત્મક વેચાણ દ્વારા રૂ. 4.04 લાખ કરોડ એકત્ર કર્યા છે. નાણા મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી. તેમાંથી સૌથી વધુ રૂ. 1.07 લાખ કરોડ રૂપિયાની રકમ 59 કેસમાં ઓફર ફોર સેલ (OFS) દ્વારા એકત્રીત કરવામાં આવી છે. આ પછી, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) દ્વારા 10 તબક્કામાં હિસ્સાના વેચાણ દ્વારા કુલ રૂ. 98,949 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે.

LICમાં હિસ્સો વેચી 20,516 કરોડ મેળવ્યા


છેલ્લા આઠ વર્ષમાં એર ઈન્ડિયા સહિત 10 કંપનીઓના વ્યૂહાત્મક વેચાણથી સરકારી તિજોરીને રૂ. 69,412 કરોડ મળ્યા છે. જ્યારે 45 કેસમાં રૂ. 45,104 કરોડ શેર બાયબેકમાંથી મળ્યા હતા. વર્ષ 2014-15 થી, 17 જાહેર ક્ષેત્રના સાહસો (CPSEs) સૂચિબદ્ધ થયા જેમાંથી રૂ. 50,386 કરોડ પ્રાપ્ત થયા. સરકારને ફક્ત વીમા કંપની LICના પ્રારંભિક જાહેર ઓફર (IPO)માંથી રૂ. 20,516 કરોડ મળ્યા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.