AAP નેતા જે.જે મેવાડા સામે મોડાસા કોર્ટે આપ્યો તપાસનો આદેશ, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-12-31 14:33:46

લોકસભાની ચૂંટણી પહેલા આપના નેતાઓ પર પર સિકંજો કસવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ચૈતર વસાવા બાદ હવે અન્ય એક નેતા સાણસામાં આવી ગયા છે. આમ આદમી પાર્ટીના ખજાનચી અને નિવૃત્ત DySP જે.જે મેવાડા સામે અપ્રમાણસર મિલકત મામલાની તપાસ માટે મોડાસા કોર્ટે આદેશ આપ્યા છે. જે બાદ ACB દ્વારા AAP નેતાની કરોડોની મિકલત મામલે તપાસ કરવામાં આવશે.


શું છે મામલો?
 

વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે.જે મેવાડાને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે ચૂંટણીના એફિડેવિટમાં તેમણે પોતાની 300 કરોડની મિલકત દર્શાવી હતી. આ મામલે વિરલ ગોસ્વામીએ જે.જે મેવાડા સામે અપ્રમાણસર મિકલતની તપાસ માટે કોર્ટમાં અરજી કરી હતી. તેમના આરોપ મુજબ, જે.જે મેવાડા ખેતીની જમીન, પાર્ટી પ્લોટ, મકાનો અને કોમર્શિયલ પ્રોપર્ટી ધરાવે છે, જે તેમણે ફરજ દરમિયાન વસાવ્યા હતા.  તેઓએ ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર વડે આ મિલકતોને એકઠી કરી હોવાના આક્ષેપો કરવામાં આવતા હતા. જેને લઈ વિરલ ગોસ્વામીએ આ અંગેની તપાસ કરવા માટે મોડાસા કોર્ટમાં અરજી કરી હતી.


મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટે આપ્યો આદેશ


હવે આ મામલે મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે તપાસના આદેશ આપ્યા છે, જેમાં ACBના નાયબ અધિક્ષકને જે.જે મેવાડા સામે સ્વતંત્ર કાર્યવાહી કરીને તપાસના આદેશ આપ્યા હતા. જે તપાસ DySP કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવનાર છે. આ કેસની તપાસ હાથધરી ACBએ જે.જે મેવાડા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.