કોરોના પર નિયંત્રણ મેળવવા દેશભરની હોસ્પિટલોમાં કરાશે મોકડ્રિલનું આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-27 09:56:20

દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણનો ખતરો વ્યાપી ઉઠ્યો છે. વિશ્વમાં વધતા કોરોના કેસને જોતા ભારત સરકાર અગમચેતી વાપરી સતર્ક બન્યું છે. સાવચેતીના ભાગરૂપે આજે એટલે કે 27 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં એક મોક ડ્રિલનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. અનેક દેશોમાં કોવિડ કેસમાં વધારો થતા ભારતની હોસ્પિટલોમાં આવશ્યક સામાન પહોંચાડી દેવામાં આવે. આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા ભારત દ્વારા હમણાંથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.  


આજે હોસ્પિટલોમાં યોજાશે મોકડ્રિલ 

દુનિયાના અનેક દેશોમાં કોરોનાને કારણે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લાખોની સંખ્યામાં લોકો કોરોનાને કારણે મોત પામી રહ્યા છે. ચીનમાં સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. જાપાન, અમેરિકા જેવા દેશોમાં પણ કોરોના કેસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે ભારતમાં કોરોના કેસ વધે તે પહેલા ભારત સરકાર દરેક પરિસ્થિતિને પહોંચી વળવા સજજ થવા માગે છે. ભારતમાં આવેલા કોરોનાની લહેરને જોતા હમણાંથી તૈયારીઓ કરી દેવામાં આવી છે. જરૂરીદવાઓ, સાધનો હોસ્પિટલને ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 27 ડિસેમ્બરે મોકડ્રિલનું આયોજન કર્યું છે. 


પત્ર લખી અપાઈ જાણકારી 

શનિવારે પત્ર લખી રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકડ્રિલ અંગે જાણ કરવામાં આવી હતી. પત્રમાં લખવામાં આવ્યું હતું કે દુનિયાના અનેક દેશોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેને ધ્યાનમાં રાખી આપાત કાલીન સ્થિતિને પહોંચી વળવા આવશ્યક સાર્વજનિક ઉપાયો કરવામાં આવે. કોરોનાને ધ્યાનમાં રાખી આ સુવિધાઓ પર વિશેષ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.