MLA રીવાબા જાડેજાએ જામનગરમાં સીસી રોડના કામનું જાત નિરિક્ષણ કર્યું, કોન્ટાક્ટરનો ઉધડો લીધો


  • Published By :
  • Published Date : 2023-02-03 21:22:30

જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય અને ક્રિકેટ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા તેમના મતવિસ્તારના વિકાસના કાર્યોને લઈ સક્રિય બન્યા છે. આજે તેમણે જામનગરના ગોકુલનગર વિસ્તારનાં મથુરાનગરમાં ચાલતા સીસી રોડનાં કામનું જાત નિરિક્ષણ કર્યું હતું. જેમાં ખરેખર રોડનું કામ નબળું હોવાનું સામે આવતા લોકોની સામે જ રીવાબાએ કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો અને યોગ્ય રીતે કામગીરી કરવાની સૂચના આપી હતી. સીસી રોડનું કામ નબળુ થતું હોવાની લોકોએ રીવાબાને ફરિયાદ કરી હતી. જેના આધારે રીવાબાએ સ્થળની સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી. 


કોન્ટ્રાક્ટ કોઈ જવાબ આપી શક્યો નહીં


રીવાબા રીવાબા જાડેજા  જ્યારે તે સ્થળે પહોંચ્યા તે વખતે લોકો એકઠા થઈ ગયા હતા.આ દરમિયાન રોડની કામગીરી અંગે રીવાબા કોન્ટ્રાક્ટરને બોલાવ્યો હતો અને નબળી કામગીરી સવાલોની ઝડી વરસાવી હતી. રિવાબાએ ખરાબ કામ અંગે ચોખવટ કરવા અંગે પુછ્યું તો તે કોન્ટ્રાક્ટ કોઈ જવાબ આપી શક્યો નહોતો. રીવાબાએ કોન્ટ્રાક્ટરનો ઉધડો લેતા કહ્યું કે, આ બધુ આપણે તમારા કે મારા માટે નહીં પરંતુ અહી ઉભેલા લોકો માટે કરી રહ્યા છીએ.


અધિકારીઓ દોડી આવ્યા 


ધારાસભ્ય રીવાબા જાડેજા આરસીસી રોડની મુલાકાત લેવા આવ્યા છે. જે સમાચાર મળતા શહેર ભાજપ મહામંત્રી મોરામણભાઈ ભાટુ, શહેર ભાજપ આગેવાન દિલીપસિંહ તેમજ નાયબ એન્જીનિયર પાઠક સહિતના અધિકારીઓ તાત્કાલીક સ્થળે આવી પહોંચ્યા હતા. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.