MLA રીવાબા જાડેજાએ જામનગરમાં સીસી રોડના કામનું જાત નિરિક્ષણ કર્યું, કોન્ટાક્ટરનો ઉધડો લીધો


  • Published By :
  • Published Date : 2023-02-03 21:22:30

જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય અને ક્રિકેટ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા તેમના મતવિસ્તારના વિકાસના કાર્યોને લઈ સક્રિય બન્યા છે. આજે તેમણે જામનગરના ગોકુલનગર વિસ્તારનાં મથુરાનગરમાં ચાલતા સીસી રોડનાં કામનું જાત નિરિક્ષણ કર્યું હતું. જેમાં ખરેખર રોડનું કામ નબળું હોવાનું સામે આવતા લોકોની સામે જ રીવાબાએ કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો અને યોગ્ય રીતે કામગીરી કરવાની સૂચના આપી હતી. સીસી રોડનું કામ નબળુ થતું હોવાની લોકોએ રીવાબાને ફરિયાદ કરી હતી. જેના આધારે રીવાબાએ સ્થળની સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી. 


કોન્ટ્રાક્ટ કોઈ જવાબ આપી શક્યો નહીં


રીવાબા રીવાબા જાડેજા  જ્યારે તે સ્થળે પહોંચ્યા તે વખતે લોકો એકઠા થઈ ગયા હતા.આ દરમિયાન રોડની કામગીરી અંગે રીવાબા કોન્ટ્રાક્ટરને બોલાવ્યો હતો અને નબળી કામગીરી સવાલોની ઝડી વરસાવી હતી. રિવાબાએ ખરાબ કામ અંગે ચોખવટ કરવા અંગે પુછ્યું તો તે કોન્ટ્રાક્ટ કોઈ જવાબ આપી શક્યો નહોતો. રીવાબાએ કોન્ટ્રાક્ટરનો ઉધડો લેતા કહ્યું કે, આ બધુ આપણે તમારા કે મારા માટે નહીં પરંતુ અહી ઉભેલા લોકો માટે કરી રહ્યા છીએ.


અધિકારીઓ દોડી આવ્યા 


ધારાસભ્ય રીવાબા જાડેજા આરસીસી રોડની મુલાકાત લેવા આવ્યા છે. જે સમાચાર મળતા શહેર ભાજપ મહામંત્રી મોરામણભાઈ ભાટુ, શહેર ભાજપ આગેવાન દિલીપસિંહ તેમજ નાયબ એન્જીનિયર પાઠક સહિતના અધિકારીઓ તાત્કાલીક સ્થળે આવી પહોંચ્યા હતા. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!