કમલમ ખાતે મળી ધારાસભ્યો દળની બેઠક, વિધાનસભા પક્ષના નેતા બન્યા ભૂપેન્દ્ર પટેલ


  • Published By :
  • Published Date : 2022-12-10 13:23:47

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ત્યારે આજે પ્રદેશ કાર્યાલય ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જીતેલા તમામ ઉમેદવારો કમલમ ખાતે હાજર હતા. જેમાં વિધાનસભા પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે.

રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરશે  

કનુ દેસાઈએ આ બેઠકમાં વિધાનસભા પક્ષના નેતા ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને શંકર ચૌધરી, પુર્ણેશ મોદી, મનીષા વકીલ અને રમણલાલ વોરાએ ટેકો જાહેર કર્યો છે. આ બેઠકમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ નિરીક્ષકોએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી. આજે બપોરે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરવામાં આવશે. 

CM Bhupendra Patel And CR Patil Left For Delhi | Gujarat Assembly  Elections: વિધાનસભાની ચૂંટણી જાહેરાત થાય તે પહેલા સીએમ અને સીઆર પાટીલ  દિલ્લી જવા રવાના

દિલ્હીમાં બેઠક બાદ લાગશે મંત્રીમંડળના નામ પર મોહર

આ બેઠકમાં મંત્રીમંડળને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રીમંડળમાં 22થી 23 સભ્યો હોઈ શકે છે. જેમાં નવા અને જૂના ચહેરોઓને સ્થાન આપવામાં આવશે. 10 કે 11 કેબિનેટમંત્રી અને 12-13 રાજ્યકક્ષાના મંત્રી બને તેવી શક્યતા છે. બપોરના સમય બાદ સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે. અને દિલ્હી ખાતે મંત્રીમંડળના નામો પર અંતિમ મોહર લાગશે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.