વરસાદ બાદ ગુજરાતના રસ્તાઓની બિસ્માર હાલત, જ્યાં જુઓ ત્યાં ખાડારાજ, સમસ્યાને લઇ ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2024-08-30 16:03:18

વડોદરા, સુરત, જામનગર, રાજકોટ અને દ્વારકા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે... પણ તમામ શહેરોમાં પ્રશાસનની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી ચૂક્યા છે.... તમે રાજ્યના કોઈપણ શહેરમાં જાવ કમર તૂટે એટલા ખાડા તમને જોવા મળશે.... રસ્તા પરથી પસાર થતો દરેક નાગરિક એ ડર સાથે ત્યાંથી નીકળતો હશે કે ન કરે નારાયણને અહીંયા જો ભૂવો પડ્યો તો ક્યાંક આખા ગરકાવ ન થઈ જઈએ... એ ભરોસો નથી કે સલામત રહીશું... કેમ કે એ દ્રશ્યો રોજ જોઈએ છીએ...... હવે તો ભાજપના ધારાસભ્યો પણ સરકારને ચીમકીઓ આપી રહ્યાં છે... 


ખાડાઓથી શહેરીજનો બન્યા ત્રસ્ત!

વાત કરવી છે સુરતની.... આમ તો આખા રાજ્યમાં રસ્તા બાબતે એક સાંધો ત્યાં 13 તુટે એવી સ્થિતિ છે... હાલત સુરતમાં પણ એવી જ છે... છેલ્લા દોઢ મહિનામાં સુરતીઓ સૌથી વધારે હેરાન-પરેશાન ખરાબ રસ્તાઓના કારણે થયા છે... એક તરફ શહેરભરમાં ટ્રાફિક સિગ્નલ લગાડી દેવામાં આ્યા છે.. જ્યાં અલગ -અલગ ટાઈમ પ્રમાણે ત્યાંથી પસાર થવાનું હોય પણ રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે, બમણો સમય રસ્તો પસાર કરવામાં જઈ રહ્યો છે... સુરતના ખાડારાજના ત્રાસના કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે... 



સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યો પત્ર

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક લેટર સરકારને લખ્યો છે... કુમાર કાનાણીએ એ પત્રમાં લખ્યું છે કે, હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ન કરી શકે તેવી અસહ્ય રીતે ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે... અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભુ થયું છે...જે સહન કરી શકાય તેમ નથી... ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે... તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે... પરંતુ 60 સેકન્ડે સિગ્નલ ખુલે તો ખઆડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી... થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્ન બંધ થઈ જાય છે.. તેના કારણે ટ્રાફિક પણ અસહ્ય થાય છે... અને સિગ્નલોનો હેતુ પણ રહેતો નથી...



બે દિવસમાં ખાડા પૂરવા કરી માગ!

લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.. છતાં સુરત મહાનગરપાલિકાનું વહીવટી પ્રશાસન મુર્છા અવસ્થામાં છે.. ઉઘીં રહ્યું છે... જે ખુબ જ દુઃખદ બાબત છે... તો યુદ્ધના ધોરણે રિપેર કરવા મારી માંગણી છે. ધારાસભ્ય કુમાર કાણાનીએ આ પત્ર વિશે લખ્યું કે, મ્યુ.કમિશનરનું અધિકારીઓ સાંભળતા નથી. મ્યુ.કમિશનરની બેદરકારી, સંકલનનો અભાવ અહીં જોવા મળી રહ્યો છે. બે દિવસની અંદર ખાડા પૂરવા કહ્યું છે. નહિ ખાડા પુરાય તો હું આગળનો કાર્યક્રમ આપીશ. ખાડા તો પુરવા જ પડશે. મ્યુ.કમિશનર પોતાના હોદ્દાઓનો ઉપયોગ કરી શક્તા નથી.


કુમાર કાનાણી અનેક વખત લખી ચૂક્યા છે પત્ર!

કુમાર કાનાણી સતત સરકાર સામે પ્રજાના પ્રશ્નો લઈને અવાજ ઉઠાવતા રહે છે. તેઓ સરકાર અને સરકારી અધિકારીઓ સામે બેફામ બોલતા હોય છે. આ પહેલા તેઓ લોકસભાની ચૂંટણી દરમિયાના ભાજપના ભરતી મેળા પર સવાલો કર્યા હતા. તો આરોગ્ય વિભાગને ભેળસેળ રોકવા માટે રજૂઆત કરી હતી. પ્રજાના પ્રતિનિધિ પ્રજા માટે અવાજ ઉઠાવે એ સારી વાત છે... આવકારદાયક પણ છે પણ મહત્વનો સવાલ એ છે કે બહેરી સરકારના કાનમાં કે ઉંઘતા પ્રશાસનની આંખો કેમ જાગૃત અવસ્થામાં નથી આવતી... રાજ્યના પ્રશાસનમાં અધિકારીઓ એટલી હદે આળસમાં પરવાર્યા છે કે,ઉભા થઈને કામ કરવાનું ભુલાય જ ગયું છે... કુમાર કાનાણીએ માંગ તો કરી છે કે રસ્તા રિપેર કરો.. પણ જોવાનું એ રહેશે મહાનગરપાલિકાના કાન અને આંખ હવે ક્યારે ખુલે છે?



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!