ખેડૂતોની સમસ્યાઓ મુદ્દે MLA કિરીટ પટેલે CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, કરી આ માગ


  • Published By :
  • Published Date : 2023-01-19 13:29:59

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ 156 સીટો મળી છે. જો કે ભાજપે ચૂંટણી વખત લોકોને જે વચનો આપ્યા હતા તે હવે ભૂલાઈ રહ્યા છે. સદનસિબે ભાજપના જ એક ધારાસભ્યે પાર્ટીને તેના ચૂંટણી વચનો યાદ કરાવ્યા છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનેને પત્ર લખી ખેડૂતોની સમસ્યાઓને લઈ અંગે ફરિયાદ કરતો પત્ર લખ્યો છે કિરીટ પટેલે તેમના પત્રમાં દિવસે વીજળી આપવા માટે માગ કરી છે.


ખેડૂતોના  હિતમાં કિરીટ પટેલે CMને લખ્યો પત્ર


ધારાસભ્ય કિરીટ પટેલે ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોને વ્યથા વર્ણવી હતી. કિરીટ પટેલે પત્રમાં લખ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ કિસાન સૂર્યોદય યોજનાની શરુઆત કરી તો પાટણ જિલ્લાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધો હતો અને ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત કરી હતી. પરંતુ આજે પાટણ જિલ્લાના મોટાભાગના ખેડૂતોને દિવસે વીજળીના બદલે રાત્રે 8 થી 4 વાગ્યા સુધી અને 12થી સવારે 8 વાગ્યા સુધી વીજળી આપવામાં આવે છે. અત્યારે શિયાળાની ઠંડી છે ખેડૂતો રાત્રે ખેતી કરી શકતા નથી અને પાણીનો બગાડ થાય છે. 


ખેડૂતોએ કરી હતી રજુઆત 


રાજ્યમાં ખેડૂતોને ઠંડીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમને કાતિલ ઠંડીવાતા રાત્રીના ઘોર અંધકારમાં પિયત માટે ખેતરોમાં જવું પડે છે. રવિ પાકોના સિંચાઈ માટે ટ્યુબવેલ પર રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતોએ માગ કરી હતી. મોટાભાગના ગામોમાં દિવસના બદલે રાત્રે સિંચાઈ માટે વીજળી આપવામાં આવી રહી છે. રાત્રે જાનવરોનો પણ ભારે ત્રાસ હોય છે, વળી રાત્રે ખેતરમાં પિયત કરતી વખતે ઝેરી જીવજંતુ કરડવાનો ભય સતાવે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.