લાફાકાંડ બાદ MLA કેશાજી ચૌહાણની પહેલી વખત આવી પ્રતિક્રિયા, પોતાના બચાવમાં શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-14 18:18:00

બનાસકાંઠાના દિયોદરમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણના કાર્યક્રમમાં લાફાકાંડનો ભોગ બનેલા ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી દ્વારા આયોજીત ન્યાય યાત્રા આજે મહેસાણા પહોંચી છે. આ દરમિયાન ધારાસભ્ય કેશાજી ચૌહાણની પ્રતિક્રિયા સામે આવી છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના જેતડા ગામની સરકારી માધ્યમિક શાળામાં યોજાયેલા એક કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, બનાસકાંઠાના સાંસદ પરબત ભાઈ પટેલ તથા દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે લાફાકાંડ મુદ્દે ખુલાસો કરતા તેમણે આ ઘટના માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જવાબદાર ઠરાવ્યા હતા. કેશાજી ચૌહાણ અને સંસદ સભ્ય પરબત ભાઈ પટેલે કોંગ્રેસ અને આપ પર વર્ગ વિગ્રહનો આરોપ લગાવ્યો હતો. 


શું કહ્યું કેશાજી ચૌહાણે?


લાંફા કાંડની ઘટના મુદ્દે પહેલી વખત દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે મો ખોલ્યું હતું. તેમણે પોતાનો બચાવ કરતા આ લાફા કાંડને બે લોકોની અંગત બબાલ ગણાવી હતી. તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પણ પ્રહારો કરતા કહ્યું કે આ બંને પક્ષો બે સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તમામ સમાજ મારા માટે ભગવાન સમાન છે. ધારાસભ્ય કેશાજીએ વર્ગ વિગ્રહની રાજનિતી બે બિલાડી અને વાંદરાની વાર્તા કહીંને સમજાવી હતી. કેશાજીએ દિયોદર તાલુકામાંથી જ્ઞાતિવાદ ઉખાડીને ફેંકી દીધો હોવાનો પણ દાવો કર્યો હતો.


સાંસદ પરબત પટેલે પણ કેશાજીનો બચાવ કર્યો


થરાદ તાલુકાના જેતડા ગામની સરકારી માધ્યમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સંસદ સભ્ય કેશાજી ચૌહાણનું સમર્થન કરતા કહ્યું કે આ બે લોકોનો અંગત મામલો હતો. આ ઝગડામાં કેશાજીને સંડોવવાની કાવતરૂ રચવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ બે જાતિ વચ્ચે નહીં પણ અણસમજનો ઝગડો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આ ઝગડાનો રાજકીય લાભ લેવામાં આવી રહ્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. તેમણે સવાલ કર્યો કે બે જણાના ઝગડાના કારણે ધારાસભ્ય શા માટે રાજીનામું આપે? તેમણે લોકોને કોંગ્રેસ અને આપની રાજનિતીથી નહીં ભરમાવાની પણ સલાહ આપી હતી.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!