લાફાકાંડ બાદ MLA કેશાજી ચૌહાણની પહેલી વખત આવી પ્રતિક્રિયા, પોતાના બચાવમાં શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-14 18:18:00

બનાસકાંઠાના દિયોદરમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણના કાર્યક્રમમાં લાફાકાંડનો ભોગ બનેલા ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી દ્વારા આયોજીત ન્યાય યાત્રા આજે મહેસાણા પહોંચી છે. આ દરમિયાન ધારાસભ્ય કેશાજી ચૌહાણની પ્રતિક્રિયા સામે આવી છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના જેતડા ગામની સરકારી માધ્યમિક શાળામાં યોજાયેલા એક કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, બનાસકાંઠાના સાંસદ પરબત ભાઈ પટેલ તથા દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે લાફાકાંડ મુદ્દે ખુલાસો કરતા તેમણે આ ઘટના માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જવાબદાર ઠરાવ્યા હતા. કેશાજી ચૌહાણ અને સંસદ સભ્ય પરબત ભાઈ પટેલે કોંગ્રેસ અને આપ પર વર્ગ વિગ્રહનો આરોપ લગાવ્યો હતો. 


શું કહ્યું કેશાજી ચૌહાણે?


લાંફા કાંડની ઘટના મુદ્દે પહેલી વખત દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે મો ખોલ્યું હતું. તેમણે પોતાનો બચાવ કરતા આ લાફા કાંડને બે લોકોની અંગત બબાલ ગણાવી હતી. તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પણ પ્રહારો કરતા કહ્યું કે આ બંને પક્ષો બે સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તમામ સમાજ મારા માટે ભગવાન સમાન છે. ધારાસભ્ય કેશાજીએ વર્ગ વિગ્રહની રાજનિતી બે બિલાડી અને વાંદરાની વાર્તા કહીંને સમજાવી હતી. કેશાજીએ દિયોદર તાલુકામાંથી જ્ઞાતિવાદ ઉખાડીને ફેંકી દીધો હોવાનો પણ દાવો કર્યો હતો.


સાંસદ પરબત પટેલે પણ કેશાજીનો બચાવ કર્યો


થરાદ તાલુકાના જેતડા ગામની સરકારી માધ્યમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સંસદ સભ્ય કેશાજી ચૌહાણનું સમર્થન કરતા કહ્યું કે આ બે લોકોનો અંગત મામલો હતો. આ ઝગડામાં કેશાજીને સંડોવવાની કાવતરૂ રચવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ બે જાતિ વચ્ચે નહીં પણ અણસમજનો ઝગડો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આ ઝગડાનો રાજકીય લાભ લેવામાં આવી રહ્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. તેમણે સવાલ કર્યો કે બે જણાના ઝગડાના કારણે ધારાસભ્ય શા માટે રાજીનામું આપે? તેમણે લોકોને કોંગ્રેસ અને આપની રાજનિતીથી નહીં ભરમાવાની પણ સલાહ આપી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.