MLA કેશાજી ચૌહાણના કાર્યક્રમમાં ખેડૂત આગેવાન પર લાફા ઝીંકાતા હોબાળો, Vedio વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-07 22:20:55

જગતનો તાત કહેવાતો ખેડૂત કુદરતનો માર તો હંમેશા ખાતો જ હોય છે પરંતુ હમણા હમણા નવો ટ્રેન્ડ શરૂ થયો લાગે છે. જો કે હવે તો દેશના ખેડૂતને નેતાઓનો માર પણ ખાવો પડે છે. બનાસકાંઠાના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને ધારાસભ્ય કેશાજી ચૌહાણના સમર્થકે કેશાજી ચૌહાણના ઉપસ્થિતિમાં જોરદાર લાફા ઝીંકી દીધા હતા. ઝાપટ પડતાની સાથે જ ખેડૂત બોલી ઉઠ્યો હતો કે ખેડૂતો માટે માગણી કરી એટલે નેતાના ચમચાએ આવું કર્યું, હું ભાજપનો ગુલામ નથી.  ખેડૂતોની વાત મૂકતા અને મુદ્દા ઉઠાવતા અમરાભાઈ ચૌધરી સાથે થયેલા આવા ગેરવર્તન અંગે જાણીને સૌએ આઘાતની લાગણી અનુભવી છે. ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને ઉપરા છાપરી લાફા ઝીંકતા હોય તેવો વીડિયો પણ ખૂબ વાયરલ થયો છે. 


ખેડૂત આગેવાનની કરાઈ બેઈજ્જતી


બનાસકાંઠાના દિયોદરમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણની આગેવાનીમાં અટલ ભુજલ યોજનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય, તેમના સમર્થકો, ખેડૂતો અને ખેતીવાડીના અનેક અધિકારીઓ હાજર હતા. ધારાસભ્ય હાજર હોવાના કારણે ખેડૂતોની વ્યથા ઠાલવવા ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી ખેડૂતોના પ્રશ્નો લઈ પહોંચ્યા હતા. ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીની વાત તો કોઈએ સાંભળી જ નહીં પણ ધારાસભ્ય કેશાજી ચૌહાણના એક સમર્થકે તેમને સટાસટ જોરદાર તમાચા મારતા કાર્યક્રમમાં હાજર લોકો સન્ન રહી ગયા હતા. બનાવ બાદ અમરાભાઈ ગુસ્સે ભરાઈ ગયા હતા અને કહ્યું હતું કે હું ભાજપનો ગુલામ નથી.


ખેડૂતોમાં રોષ

 

ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને લાફો ઝીંકવાની ઘટના બાદ દિયોદર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ સમગ્ર મામલે કાર્યક્રમમાં હાજર લોકોનું કહેવું છે કે ઘટના બની તે વખતે ધારાસભ્ય કેશાજી ચૌહાણ ટગર ટગર જોતા રહ્યાં પરંતુ તેઓ એક શબ્દ પણ ન બોલ્યા હતા. જેને લઈ ધારાસભ્ય પ્રત્ય કેટલાક લોકોમાં રોષ ભભૂક્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ આવે છે અને રજૂઆત કરવા આવેલા ખેડૂતને કહે છે કે, જ્યારે સાહેબ ગામમાં મિટિંગ કરે છે ત્યારે પણ તું બોલે છે અને અહીં પણ તું ઉભો થઈ બોલે છે. આ ઘટના બાદ હુમલો કરનાર વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે, હવે જોવાનું એ છે કે પોલીસ આ દિશામાં કેટલી ઈમાનદારીથી કામ કરે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.