MLA કેશાજી ચૌહાણના કાર્યક્રમમાં ખેડૂત આગેવાન પર લાફા ઝીંકાતા હોબાળો, Vedio વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-07 22:20:55

જગતનો તાત કહેવાતો ખેડૂત કુદરતનો માર તો હંમેશા ખાતો જ હોય છે પરંતુ હમણા હમણા નવો ટ્રેન્ડ શરૂ થયો લાગે છે. જો કે હવે તો દેશના ખેડૂતને નેતાઓનો માર પણ ખાવો પડે છે. બનાસકાંઠાના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને ધારાસભ્ય કેશાજી ચૌહાણના સમર્થકે કેશાજી ચૌહાણના ઉપસ્થિતિમાં જોરદાર લાફા ઝીંકી દીધા હતા. ઝાપટ પડતાની સાથે જ ખેડૂત બોલી ઉઠ્યો હતો કે ખેડૂતો માટે માગણી કરી એટલે નેતાના ચમચાએ આવું કર્યું, હું ભાજપનો ગુલામ નથી.  ખેડૂતોની વાત મૂકતા અને મુદ્દા ઉઠાવતા અમરાભાઈ ચૌધરી સાથે થયેલા આવા ગેરવર્તન અંગે જાણીને સૌએ આઘાતની લાગણી અનુભવી છે. ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને ઉપરા છાપરી લાફા ઝીંકતા હોય તેવો વીડિયો પણ ખૂબ વાયરલ થયો છે. 


ખેડૂત આગેવાનની કરાઈ બેઈજ્જતી


બનાસકાંઠાના દિયોદરમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણની આગેવાનીમાં અટલ ભુજલ યોજનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય, તેમના સમર્થકો, ખેડૂતો અને ખેતીવાડીના અનેક અધિકારીઓ હાજર હતા. ધારાસભ્ય હાજર હોવાના કારણે ખેડૂતોની વ્યથા ઠાલવવા ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી ખેડૂતોના પ્રશ્નો લઈ પહોંચ્યા હતા. ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીની વાત તો કોઈએ સાંભળી જ નહીં પણ ધારાસભ્ય કેશાજી ચૌહાણના એક સમર્થકે તેમને સટાસટ જોરદાર તમાચા મારતા કાર્યક્રમમાં હાજર લોકો સન્ન રહી ગયા હતા. બનાવ બાદ અમરાભાઈ ગુસ્સે ભરાઈ ગયા હતા અને કહ્યું હતું કે હું ભાજપનો ગુલામ નથી.


ખેડૂતોમાં રોષ

 

ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને લાફો ઝીંકવાની ઘટના બાદ દિયોદર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ સમગ્ર મામલે કાર્યક્રમમાં હાજર લોકોનું કહેવું છે કે ઘટના બની તે વખતે ધારાસભ્ય કેશાજી ચૌહાણ ટગર ટગર જોતા રહ્યાં પરંતુ તેઓ એક શબ્દ પણ ન બોલ્યા હતા. જેને લઈ ધારાસભ્ય પ્રત્ય કેટલાક લોકોમાં રોષ ભભૂક્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ આવે છે અને રજૂઆત કરવા આવેલા ખેડૂતને કહે છે કે, જ્યારે સાહેબ ગામમાં મિટિંગ કરે છે ત્યારે પણ તું બોલે છે અને અહીં પણ તું ઉભો થઈ બોલે છે. આ ઘટના બાદ હુમલો કરનાર વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે, હવે જોવાનું એ છે કે પોલીસ આ દિશામાં કેટલી ઈમાનદારીથી કામ કરે છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!