મધ્યાહન ભોજન યોજના પાછળ સરકાર કેટલો ખર્ચ કરે છે? MLA ગેનીબેન ઠાકોરના સવાલનો સરકારે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-03-21 18:21:16

વિધાનસભામાં ચાલી રહ્યા બજેટ સત્રમાં ધારાસભ્યો વિવિધ સવાલો પૂછી સરકારની કામગીરી અંગે જાણકારી મેળવતા હોય છે. જેમ કે આજે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રાજ્યમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રતિ વિદ્યાર્થી ભોજનનો કેટલો ખર્ચ ચૂકવવામાં આવે છે તે અંગે સવાલ કર્યો હતો.


સરકાર કેટલો ખર્ચ કરે છે?


ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં શિક્ષણમંત્રીને પુછ્યું કે તારીખ 31-12-22ની સ્થિતીએ રાજ્યમાં ધોરણ-1થી ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના અન્વયે પ્રતિ બાળક ભોજનનો કેટલો ખર્ચ સરકાર ચૂકવે છે? તથા ખર્ચના દરમાં છેલ્લે  ક્યારે અને કેટલી રકમનો વધારો કરવામાં આવ્યો છે?


સરકારે આપ્યો આ જવાબ


ગેની બેનના સવાલનો જવાબ આપતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જણાવ્યું કે યોજના અન્વયે ધોરણ -1થી ધોરણ-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે દૈનિક રૂ. 5.50 અને ધોરણ-6થી ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દૈનિક રૂ. 7.72 કુકિંગ કોસ્ટ (ભોજન ખર્ચ) સરકારે મંજુર કર્યો છે. વળી સરકારે આ દરમાં તા. 11-05-2020થી ધોરણ-1થી ધોરણ-5ના વિદ્યાર્થીઓ માટે દૈનિક રૂ. 0.54 અને ધોરણ-6થી ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે દૈનિક રૂ. 0.76નો વધારો કરવામાં આવેલ છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.