Loksabha election: ધારાસભ્ય Chaitar Vasavaએ કરી આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત, ભાજપના આ પીઢ નેતાને આપશે ટક્કર


  • Published By :
  • Published Date : 2023-08-08 11:19:42

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટીએ તૈયારીઓ કરવાની શરૂઆત કરી દીધી છે. ગઈકાલે ઈસુદાન ગઢવી દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી કે ભાજપને હરાવવા માટે ગુજરાત આમ આદમી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસ ગઠબંધન કરી ચૂંટણી લડશે. ત્યારે આ મામલે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય લોકસભાની ચૂંટણી લડવાના છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આદિવાસી ચહેરો ચૈતર વસાવા પણ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. AAPએ લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ ચૂંટણી લડવાની પુષ્ટિ કરી છે.  



AAP અને કોંગ્રેસ ગઠબંધન કરી લડશે લોકસસભાની ચૂંટણી 

રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે આ વખતની લોકસભાની ચૂંટણી ખૂબ રસપ્રદ રહેવાની છે. એક તરફ કેન્દ્રમાં ભાજપની સરકારને હટાવવા વિપક્ષી પાર્ટી એક થઈ છે. વિપક્ષી પાર્ટી દ્વારા જે ગઠબંધન કરવામાં આવ્યું છે તેને INDIA નામ આપવામાં આવ્યું છે. દરેક પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી નજીક આવી રહી છે, આ વખતે ગુજરાત AAPએ જાહેરાત કરી છે કે તે ગુજરાત કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે અને ભેગા મળી લોકસભા ચૂંટણી લડશે. ત્યારે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આદિવાસી ચહેરો ચૈતર વસાવા પણ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. 



આ સીટ પરથી ચૈતર વસાવા લડશે ચૂંટણી

AAPએ લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ ચૂંટણી લડવાની પુષ્ટિ કરી છે. નિવેદન આપતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તે ભરૂચની લોકસભા સીટથી ચૂંટણી લડવાના છે. જો તે ભરૂચની સીટ પરથી ચૂંટણી લડશે તો ભાજપના ચૈતર વસાવા સાથે તેમની સીધી ટક્કર થશે. છેલ્લી 6 ટર્મથી ભાજપના સાંસદ મનસુખ વસાવા જીતતા આવ્યા છે.અને  હવે ત્યાં ચૈતર વસાવા ચુંટણી લડશે. ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ વસાવા vs વસાવાની લડાઈ વધુ રસપ્રદ બનશે. 

 

ગઠબંધન વિશે કોંગ્રેસ તરફ સામે નથી આવ્યું નિવેદન 

ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં 26 એ 26 બેઠક તો ભાજપ પાસે છે. આ ચૂંટણીમાં  કોંગ્રેસ પાસે કશું મેળવવા કે ગુમાવવા જેવું કઈ છે નહીં. આગામી લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાવાની છે. તેની જાહેરાત અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કર્યા બાદ હવે AAPના પહેલા ઉમેદવારનું નામ સામે આવી ગયું છે. જોકે AAP સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવા વિશે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કોઈ નિવેદન આપ્યું નથી. ત્યારે આગામી દિવસોમાં જો બંને વચ્ચે ગઠબંધનમાં ચૂંટણી લડાશે તો ટિકિટની ફાળવણી જોવાનું રસપ્રદ રહેશે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!