ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાની અનોખી પહેલ, લગ્નમાં વરરાજાને બંધારણનાં પુસ્તકની ભેટ


  • Published By :
  • Published Date : 2023-01-23 20:53:51

આપના નેતા અને ડેડિયાપાડા વિધાનસભા સીટના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી જીત્યા તે દિવસથી વિવિધ કારણોથી સમાચારોમાં સતત ચમકતા રહ્યા છે. ચૈતર વસાવા પ્રજા કલ્યાણના કામો કે પછી સામાજીક પ્રસંગોમાં ઉપસ્થિત રહીને સતત લોકો સાથે જોડાયેલા રહે છે. ચૈતર વસાવા તેમના મત વિસ્તારના લોકોના લગ્ન સહિતના સામાજીક પ્રસંગોમાં ઉપસ્થિત રહીને આદિવાસી લોક નૃત્યો કરીને મીડિયાનું ધ્યાન આકર્ષિત કરે છે. 


વરરાજાને બંધારણનું પુસ્તક ભેટ


સામાન્ય પરિવારમાંથી આવીને ધારાસભ્ય બનેલા ચૈતર વસાવા તેમના મત વિસ્તારના સામાજીક પ્રસંગોમાં અચૂક ઉપસ્થિત રહીને લોક સંપર્ક જાળવી રાખે છે. તાજેતરમાં ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડા તાલુકાના મોસ્કુટ ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. એ દરમિયાન એમણે વરરાજાને ભેટ સ્વરૂપે બંધારણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપી લોકોનાં દિલ જીતી લીધા હતાં. ચૈતર વસાવાએ પોતાના વિસ્તારમા લગ્ન પ્રસંગમાં બંધારણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપી લોકોમાં રહેલી કાયદાકીય અજ્ઞાનતા દુર કરવાની પહેલ કરી છે.


શા માટે બંધારણનું પુસ્તક ભેટ આપ્યું?


ધારાસભ્ય ચૈતર વસાવાએ વરરાજાને ભેટ સ્વરૂપે બંધારણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપ્યું તે અંગે તેમણે કહ્યું કે "આજના યુવાનો મોબાઇલ, ડાન્સ પાર્ટી અને વ્યસનોમાં સમય બરબાદ કરે છે, કાયદાકીય અજ્ઞાનતાને લીધે તેઓ આગળ વધી શકતા નથી અને સાથે સાથે પોતાના કુટુંબથી પણ દુર થતા જાય છે, આડા રસ્તે જતાં રહે છે.બંધારણનું પુસ્તક વાંચવાથી યુવાનોમાં કાયદાકીય જ્ઞાન વધશે જેથી તેઓ પોતે તો આગળ વધશે પણ સાથે સાથે પોતાના પરિવારનું નામ રોશન કરશે અને કાયદો વ્યવસ્થા શું છે તથા સરકારની અને નાગરિકની ફરજો શું છે એનાથી પણ માહિતગાર થશે.આવુ દરેક લોકો સમજી સામાજીક પ્રસંગમાં બંધારણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપશે તો એક દિવસ એવો આવશે કે યુવાનો બંધારણનું મહત્વ સમજશે અને કાયદાથી અજાણ નહી રહે".



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.