MLA Arjun Modhvadiyaએ કરી Amit Shah સાથે મુલાકાત, એક મુલાકાતથી ગરમાઈ ગુજરાતની રાજનીતિ


  • Published By :
  • Published Date : 2024-07-31 18:12:11

ગુજરાતની રાજનીતિમાં ફરી હલચલ થઈ છે ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ ફરી ઊભી થઈ છે કારણ કે અર્જુન મોઢવાડિયા દિલ્લી દરબારમાં ગૃહ મંત્રીને મળવા ગયા. આજે દિલ્હી ખાતે અર્જુન મોઢવાડિયાએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. આમ તો ધારાસભ્ય બન્યા બાદ અર્જુનભાઈની આ પહેલી મુલાકાત છે અમિત શાહ સાથે અને જ્યારે અર્જુન ભાઈ દિલ્હી પહોંચ્યા તો અનેક અટકનો શરૂ થઈ છે.

મંત્રી મંડળમાં અનેક નેતાઓને મળી શકે છે સ્થાન

થોડા સમય પહેલા અર્જુનભાઈએ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી ત્યારે મંત્રી મંડળના વિસ્તરણની અટકળો વચ્ચે મુલાકાતથી અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. અર્જુન મોઢવાડિયાએ આને લઈ ટ્વીટ પણ કરી છે. ગુજરાતમાં મંત્રી મંડળની વિસ્તરણની વાત લોકસભા ચૂંટણી સમયથી થઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે. જેમાં વર્તમાન પ્રધાનો પૈકી કેટલાકને ડ્રોપ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

આ ધારાસભ્યોના નામની થઈ રહી છે ચર્ચા

એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કે કોંગ્રેસી ગોત્રના નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે અને આ નવા ચહેરાઓમાં અર્જુન મોઢવાડિયા અને સી.જે ચાવડાનું નામ સામે આવ્યું હતું અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય છે અને તેમને જીત બાદ હવે મંત્રી મંડળમાં સ્થાન મળી શકે એવી સંભાવના વધી ગઈ છે અને આજની મુલાકાત બાદ પણ એ જ વાત છે કે શું અર્જુનભાઈ મંત્રી મંડળમાં આવવાની રજુઆત સાથે દિલ્હી દરબાર ગયા હતા? 


કોંગ્રેસના અનેક નેતાઓને આપવામાં આવ્યું છે સ્થાન

નવા ચહેરા તરીકે જો કોંગ્રેસના નેતાઓને સ્થાન આપે તો ભાજપમાં ડાખ થઈ શકે છે કારણ કે ભૂતકાળમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને પણ આ પ્રકારનું કમીટમેન્ટ કરવામાં આવ્યુ હતુ પણ તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ નથી.જો કે અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડા બંને સિનિયર નેતાઓ છે. એમને સ્થાન મળી પણ શકે.. ખેર રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે એમાં કંઈ પણ થઈ શકે છે તો હવે અર્જુન ભાઈના હાથમાં ભાજપને મંત્રી મંડળમાં સ્થાન મળે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.  



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.