MLA Arjun Modhvadiyaએ કરી Amit Shah સાથે મુલાકાત, એક મુલાકાતથી ગરમાઈ ગુજરાતની રાજનીતિ


  • Published By :
  • Published Date : 2024-07-31 18:12:11

ગુજરાતની રાજનીતિમાં ફરી હલચલ થઈ છે ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ ફરી ઊભી થઈ છે કારણ કે અર્જુન મોઢવાડિયા દિલ્લી દરબારમાં ગૃહ મંત્રીને મળવા ગયા. આજે દિલ્હી ખાતે અર્જુન મોઢવાડિયાએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. આમ તો ધારાસભ્ય બન્યા બાદ અર્જુનભાઈની આ પહેલી મુલાકાત છે અમિત શાહ સાથે અને જ્યારે અર્જુન ભાઈ દિલ્હી પહોંચ્યા તો અનેક અટકનો શરૂ થઈ છે.

મંત્રી મંડળમાં અનેક નેતાઓને મળી શકે છે સ્થાન

થોડા સમય પહેલા અર્જુનભાઈએ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી ત્યારે મંત્રી મંડળના વિસ્તરણની અટકળો વચ્ચે મુલાકાતથી અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. અર્જુન મોઢવાડિયાએ આને લઈ ટ્વીટ પણ કરી છે. ગુજરાતમાં મંત્રી મંડળની વિસ્તરણની વાત લોકસભા ચૂંટણી સમયથી થઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે. જેમાં વર્તમાન પ્રધાનો પૈકી કેટલાકને ડ્રોપ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

આ ધારાસભ્યોના નામની થઈ રહી છે ચર્ચા

એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કે કોંગ્રેસી ગોત્રના નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે અને આ નવા ચહેરાઓમાં અર્જુન મોઢવાડિયા અને સી.જે ચાવડાનું નામ સામે આવ્યું હતું અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય છે અને તેમને જીત બાદ હવે મંત્રી મંડળમાં સ્થાન મળી શકે એવી સંભાવના વધી ગઈ છે અને આજની મુલાકાત બાદ પણ એ જ વાત છે કે શું અર્જુનભાઈ મંત્રી મંડળમાં આવવાની રજુઆત સાથે દિલ્હી દરબાર ગયા હતા? 


કોંગ્રેસના અનેક નેતાઓને આપવામાં આવ્યું છે સ્થાન

નવા ચહેરા તરીકે જો કોંગ્રેસના નેતાઓને સ્થાન આપે તો ભાજપમાં ડાખ થઈ શકે છે કારણ કે ભૂતકાળમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને પણ આ પ્રકારનું કમીટમેન્ટ કરવામાં આવ્યુ હતુ પણ તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ નથી.જો કે અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડા બંને સિનિયર નેતાઓ છે. એમને સ્થાન મળી પણ શકે.. ખેર રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે એમાં કંઈ પણ થઈ શકે છે તો હવે અર્જુન ભાઈના હાથમાં ભાજપને મંત્રી મંડળમાં સ્થાન મળે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.  



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .