Mizoram: ZPMએ જીતી ​​27 બેઠકો, લાલદુહોમા બની શકે છે CM,ઝોરામથાંગાએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-12-04 17:14:39

મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. લાલદુહોમાની આગેવાની હેઠળના જોરમ પીપલ્સ મૂવમેન્ટે શાનદાર પ્રદર્શન કર્યું અને 40માંથી 27 બેઠકો જીતી છે. મિઝો નેશનલ ફ્રન્ટને રાજ્યમાં મોટી હાર સાથે સત્તામાંથી દૂર થવાનો વારો આવ્યો છે. મિઝો નેશનલ ફ્રન્ટ માત્ર 10 બેઠકોમાં સમેટાઈ ગઈ છે. મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 2 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગાએ રાજભવનમાં રાજ્યપાલ ડો. હરિ બાબૂ કંભમપતિ સાથે મુલાકાત કરી હતી અને તેમનું રાજીનામું સોંપ્યું હતું. ઉલ્લેખનિય છે મિઝોરમમાં લાલદુહોમાની આગેવાની હેઠળની ZPM સરકાર બનાવશે. ZPM એ પૂર્વ સાંસદ લાલદુહોમાના નેતૃત્વમાં રચાયેલ છ પ્રાદેશિક પક્ષોનું ગઠબંધન છે, તેની રચના 2017માં થઈ હતી. તે ધર્મનિરપેક્ષતા અને ધાર્મિક લઘુમતીઓના રક્ષણમાં માને છે.


ZPMના નેતા લાલદુહોમા બની શકે CM


મિઝોરમ રાજ્યમાં 1984થી ક્યારેક કોંગ્રેસ અને ક્યારેક મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ની સરકાર સત્તામાં રહી છે. આ વખતે રાજ્યના પૂર્વ IPS લાલદુહોમાના નેતૃત્વમાં રચાયેલ નવો રાજકીય પક્ષ જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) બહુમતીમાં આવ્યો છે. ચૂંટણી પરિણામો પછી, ZPM નેતા લાલદુહોમાનું નામ રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે હોટ ફેવરીટ મનાય છે. મુખ્ય પ્રધાનના ઉમેદવાર લાલદુહોમા તેમના મતવિસ્તાર સેરછિપ બેઠક પરથી 2,982 મતોથી જીત્યા છે.


કોણ છે ZPMના પ્રમુખ લાલદુહોમા?


ZPM પ્રમુખ લાલદુહોમા મિઝોરમના ભૂતપૂર્વ IPS અધિકારી છે. તેમણે 1972 થી 1977 સુધી મિઝોરમના મુખ્ય પ્રધાનના મુખ્ય સહાયક તરીકે કામ કર્યું છે અને હવે તેઓ મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર છે. સ્નાતક થયા પછી, તેમણે ભારતીય નાગરિક સેવાઓની પરીક્ષા આપી. 1977માં આઈપીએસ બન્યા બાદ તેમણે ગોવામાં સ્ક્વોડ લીડર તરીકે કામ કર્યું. તેમની પોસ્ટિંગ દરમિયાન તેમણે દાણચોરો સામે મોટી કાર્યવાહી કરી હતી. 1982માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને તેમના સુરક્ષા ઈન્ચાર્જ તરીકે નિયુક્ત કર્યા હતા. તેમને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે વિશેષ પ્રમોશન આપવામાં આવ્યું હતું. તેઓ રાજીવ ગાંધીની અધ્યક્ષતામાં 1982 એશિયન ગેમ્સની આયોજન સમિતિના સચિવ પણ હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.