અમરેલી જિલ્લાના મીતીયાળા ગામના લોકો ભયના ઓથાર હેઠળ, એક મહિનામાં 10થી વધુ ધરતીકંપના આંચકા


  • Published By :
  • Published Date : 2022-12-19 12:57:29

ગુજરાતના લોકોને ભુકંપનો સૌથી ભયાનક અને  ક્યારેય ન ભૂલી શકાય તેવો અનુભવ 26 જાન્યુઆરી, 2001ના રોજ  પ્રજાસત્તાક દિવસની સવારે થયો હતો. જો કે અમરેલી જિલ્લાના એક ગામમાં તો લોકો છેલ્લા એક મહિનાથી ધરતીકંપના આચકાંથી ચિંતિત છે.


એક મહિનામાં 10થી વધુ ભૂકંપના આંચકા


સાવરકુંડલા તાલુકાના ગીર કાંઠાનું મીતીયાળા ગામ હાલ ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે કારણ કે અહીં દિવસ કે રાત્રિ દરમિયાન ગમે ત્યારે ભૂકંપના નાના-મોટા આચકાઓ આવી રહ્યા છે. આજે વહેલી સવારે અહીં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે આ અંગે સ્થાનિક તંત્ર અજાણ છે. એક મહિનામાં 10થી વધુ વખત ભૂકંપના આંચકા આ ગામમાં આવ્યા હોવાથી ગ્રામજનોમાં ફફડાટ છે. ગામના સરપંચે મીડિયાને ધરતીકંપના આંચકાની માહિતી આપી છે. ગામના લોકોની સૌથી મોટી ચિંતા એ છે કે ગામના 50 ટકાથી વધુ કાચા મકાનો છે. જો ધરતીકંપ આવે તો મોટી જાનહાનિ સર્જાઈ શકે તેમ છે. 


ગામના 50 ટકા મકોનો કાચા


આ ગામમાં 50 ટકા જેટલા મકાનો કાચા છે લોકોના મકાનને ધરતી કંપના કારણે મકોનોની દીવાલોમાં તિરાડો પડવા લાગી છે પરંતુ એક માસથી સતત ભૂકંપના નાના-મોટા આંચકાઓ ગામ લોકો અનુભવી રહ્યા છે ત્યારે ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે.  ભૂકંપ આવે એટલે ગામ લોકોને ઘર માંથી બહાર નીકળવું પડે છે. નાના મોટા તમામ લોકોને ભૂકંપનો ભય સતાવી રહ્યો છે.


ગામ લોકો ભયના ઓથાર હેઠળ


મીતીયાળા ગામના લોકો છેલ્લા બે વર્ષથી લોકો ભૂકંપના નાના મોટા આંચકાથી ભયભીત છે.   ગત ઉનાળાથી ભૂકંપના આંચકા શરૂ થયાં હતા. ગામની નજીક જ સોનીયો ડુંગર તરીકે જાણીતો એક ડુંગર આવેલો છે. ગામ લોકોનું માનવું છે કે  ડુંગરના તળમાં કોઈ હલચલ થઈ રહી છે કારણ કે ભૂકંપની શરૂઆત પણ આ દિશાથી થતી જોવા મળે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.