અમરેલીના મીતીયાળા ગામની ધરા ફરી ધ્રુજી, આજે સવારે ભૂકંપના બે આંચકાથી લોકો બન્યા ભયભીત


  • Published By :
  • Published Date : 2022-12-27 14:35:36

મીતીયાળા ગુજરાતનું એક ગામ એવું છે જ્યાંના લોકો ભુકંપની આંચકાના કારણે રાત્રે શાંતિથી ઉંઘી પણ શકતા નથી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામમાં માત્ર 40 મિનિટમાં ધરતીકંપના બે આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ છે.  મીતીયાળામાં આજે સવારે ફરી ધરતીકંપનો આંચકો આવ્યો હતો જો કે આ ગામમાં ભૂકંપના ઝટકા કોઈ નવી વાત નથી. અવારનવાર આવતા ભૂકંપના ઝટકાથી ગામ લોકો પણ ત્રાસી ગયા છે, મિતિયાળા ગામમાં મોટાભાગના મકાનો જુના અને માટીમાંથી બનેલા હોવાથી લોકો શિયાળાની કાતિલ ઠંડીમાં પણ રાત્રે ઉંઘવા માટે મજબુર બન્યા છે.  મીતીયાળા જંગલ અને મીતીયાળા ગામમાં આજે ફરી 40 મિનિટના સમયગાળામાં બે ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. 


આજે પણ ધરા ધ્રુજી


આજે મંગળવારની સવારે મીતીયાળા ગામની ધરા ધ્રુજી હતી. સવારે 10:40 મિનિટ અને 11:18 મિનિટની આસપાસ ધરતીકંપના આંચકાથી સ્થાનિકો ભયભીત થઈને તેમના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. છેલ્લા એક મહિનામાં અનેક વખત આંચકા અનુભવાતા મીતીયાળાના લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી. પ્રાથમિક રીતે ભૂકંપના આંચકાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર મનાય છે. 


સિસ્મોલોજી વિભાગનું શું કહેવું છે?


મીતીયાળા ગામમાં સતત ધરતીકંપન અંગે ગુજરાત સિસ્મોલોજી વિભાગનું કહેવું છે કે, નાના નાના આંચકા આવી જાય છે તે સારું છે. જેથી મોટા આંચકા આવવાની સંભાવના ઘટી જાય છે.  મીતીયાળા ગામ આસપાસ સતત ભૂકંપના ઝટકાની શરૂઆત 2021થી થઈ છે. વર્ષ 2021માં મીતીયાળા આસપાસ 80 જેટલા અને વર્ષ 2022માં 225 જેટલા ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.