સુરતમાં ભાજપ કોર્પોરેટરના પુત્રનું દુ:સાહસ, નજીવી બાબતે લેબર કોન્ટ્રાક્ટર પર કર્યું ફાયરિંગ


  • Published By :
  • Published Date : 2023-11-02 18:49:28

સુરતમાં ગુનાહિત પ્રવૃતિઓ ચિંતાજનક રીતે વધી રહી છે, શહેરમાં અવારનવાર ગોળીબાર, લૂંટ, દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. સુરતમાં ભાજપના નેતાના પુત્રએ એક કોન્ટ્રાક્ટર પર ફાયરિંગ કરતા ખળભળાટ મચી ગયો છે. સુરતમાં ભાજપના કોર્પોર્ટેટર અજીત પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયાને એક કોન્ટ્રાક્ટર સાથે તકરાર થતાં ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતા પાલ પોલીસની ટીમ પણ દોડતી થઈ હતી અને દિવ્યેશની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.


શું હતો સમગ્ર મામલો?


સુરત વોર્ડ 1ના કોર્પોર્રેટર અજીત પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયાએ લેબર કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાંભોર ગામ પર ફાયરિંગ કર્યું હતું. સુરતના ભેંસાણ ગામમાં ઈશ્વર કૃપા રેસિડેન્સીની સાઈટ પર કોન્ટ્રાક્ટર સાથે દિવ્યેશને તકરાર થઈ હતી, ગુસ્સે થયેલા દિવ્યેશે કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાંભારને નિશાન બનાવી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જો કે નિશાનો ચુકી જતા તે બચી ગયો હતો. ફાયરિંગની ઘટના ભેંસાણ રોડ પર આવેલ નિર્માણધીન ઈશ્વર કૃપા સોસાયટીના બાંધકામ સાઇટ પર બની હતી. બાંધકામ સાઇટ પર કામ પૂર્ણ થઈ જતા લેબર કોન્ટ્રાકટર પોતાના મજૂરોને અન્ય સાઇટ પર મુકી આવ્યો હતો. જેને લઇને દિવ્યેશ અને લેબર કોન્ટ્રાકટર વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાદ દિવ્યેશ તમામ મજુરોને અન્ય સાઈટ પરથી ઈશ્વરકૃપા સોસાયટીની બાંધકામ સાઇટ પર લઇ આવ્યો હતો. લેબર કોન્ટ્રાકટર અન્ય કોન્ટ્રાકટર હેઠળ બાંધકામ સાઇટ પર કામ કરે છે. જ્યાં બિલ્ડર પુત્ર અને લેબર કોન્ટ્રાકટર વચ્ચે થયેલ માથાકૂટ બાદ ફાયરિંગ કરાયું હતું.


પોલીસે કરી ધરપકડ


બનાવની જાણકારી મળતા સ્થળ પર પહોંચેલી પાલ પોલીસ દ્વારા ભાજપ કોર્પોરેટર ના પુત્ર દિવ્યેશ પટેલ ઉર્ફે ભેસાણીયાની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અલ્પેશ ભાંભોર ની ફરિયાદના આધારે પાલ પોલીસ દ્વારા ભાજપ કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ પટેલ ઉર્ફે ભેસાણીયા વિરુદ્ધ આઇપીસીની કલમ 307,આર્મ્સ એકટ અને એટ્રોસીટી એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. જ્યાં હાલ ઘટનાની વધુ તપાસ સુરત પોલીસના એસ.સી એસ.ટી સેલ ના ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવતા મામાલની વધુ તપાસ એસીપી કક્ષાના અધિકારી કરી રહ્યા છે.ભાજપ કોર્પોરેટર અજીત ઈશ્વરભાઈ પટેલ ઉર્ફે ભેસાણીયા ના પુત્ર દિવ્યેશ દ્વારા કરાયેલ ફાયરિંગની આ ઘટના સમગ્ર વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. કહેવાય રહ્યું છે કે પિતાના હોદ્દા નો દુરુપયોગ કરી સત્તાના નશામાં ભાજપ કોર્પોરેટર ના પુત્ર દિવ્યેશે આ ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા લોકોના મુખે ચર્ચાઈ રહી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!