છેલ્લા બે વર્ષમાં અર્ધલશ્કરી દળોમાં માનસિક રોગથી પીડિત જવાનોના કેસમાં 38 ટકાનો વધારો: ગૃહ મંત્રાલય


  • Published By :
  • Published Date : 2023-08-04 20:20:12

 દેશના અર્ધ લશ્કરી દળોના જવાનોમાં મનોરોગનું પ્રમાણ વધી રહ્યું છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના જવાનો દ્વારા બેફામ ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે. આ સ્થિતીમાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં માહિતી આપી હતી કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં માનસિક દર્દીઓની કુલ સંખ્યા 2020માં 3,584 થી વધીને 2022 માં 4,940 થઈ ગઈ છે. સરકારના આંકડા દર્શાવે છે કે 2018 થી 2022 સુધીમાં 658 જવાનોએ આત્મહત્યા કરી છે. રાયના જણાવ્યા પ્રમાણે "ITBPમાં પાંચ મનોચિકિત્સકો છે, BSFમાં ચાર, CRPFમાં ત્રણ અને SSB અને ARમાં એક-એક મનોચિકિત્સક છે," 


અર્ધ લશ્કરી દળોમાં કેટલા માનસિક બીમાર જવાનો? 

 

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયના જણાવ્યા અનુસાર, 2021 માં, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં માનસિક બીમારીના 3,864 કેસ નોંધાયા હતા. તેમણે કહ્યું કે, '2020માં CRPFમાં કુલ 1,470, 2021માં 1,506 અને 2022માં 1,882 માનસિક રોગના કેસ નોંધાયા હતા. BSFમાં 2020માં 1,073, 2021માં 1,159 અને 2022માં 1,327 દર્દીઓ હતા, જ્યારે આસામ રાઈફલ્સમાં 2020માં 351, 2021માં 509 અને 2022માં 530 દર્દીઓ હતા. CISF માં 2020 માં 289, 2021 માં 244 અને 2022 માં 472 દર્દીઓ હતા. ITBPમાં 2020માં 215, 2021માં 300 અને 2022માં 417 દર્દીઓ હતા. SSB માં 2020 માં 186, 2021 માં 246 અને 2022 માં 312  માનસિક દર્દીઓ હતા.


2018 થી 2022 સુધીમાં 658 આત્મહત્યા


આત્મહત્યાની વિગતો આપતા રાયે જણાવ્યું કે CRPFમાં 230 જવાનો, BSFમાં 174 જવાનો, CISFમાં 91 જવાનો, SSBમાં 65 જવાનો, ITBPમાં 51 જવાનો અને ARમાં 47 જવાનોએ આત્મહત્યા કરી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!