સીરિયામાં લશ્કરી બસમાં વિસ્ફોટ, 18 સૈનિકોના મોત અને 27 ઘાયલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:00:51

દમાસ્કસ નજીક લશ્કરી બસમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 18 સૈનિકો માર્યા ગયા હતા અને 27 ઘાયલ થયા હતા. ભૂતકાળમાં અહીં આવી ઘણી ઘટનાઓ બની છે, જેના માટે ઇસ્લામિક સ્ટેટને જવાબદાર ગણવામાં આવે છે.


ગુરુવારે સીરિયાની રાજધાની દમાસ્કસ પાસે એક સૈન્ય બસમાં વિસ્ફોટનો મામલો સામે આવ્યો છે. જેમાં 18 જવાનો શહીદ થયા હતા અને 27 ઘાયલ થયા હતા. સીરિયન મીડિયાએ સૈન્ય સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.


છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવાં કેટલાંય હુમલા થયા છે જેમાં ડઝનેક લોકોનાં મોત થયાં છે અને ડઝનેક ઘાયલ થયા છે.ગયા મહિને માર્ચ મહિનામાં સેન્ટ્રલ સીરિયામાં પાલમિરા પાસે આતંકવાદીઓએ એક સૈન્ય બસ પર હુમલો કર્યો હતો. જેમાં 13 જવાનો શહીદ થયા હતા અને 18 ઘાયલ થયા હતા.સીરિયન અધિકારીઓએ અગાઉ આવા હુમલાઓ માટે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા છે. આ આતંકવાદી જૂથ દક્ષિણ અને મધ્ય સીરિયામાં સક્રિય છે. મધ્ય સીરિયા 2019 માં ઇસ્લામિક સ્ટેટના કબજામાંથી મુક્ત થયું હતું.




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.