સીરિયામાં લશ્કરી બસમાં વિસ્ફોટ, 18 સૈનિકોના મોત અને 27 ઘાયલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:00:51

દમાસ્કસ નજીક લશ્કરી બસમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 18 સૈનિકો માર્યા ગયા હતા અને 27 ઘાયલ થયા હતા. ભૂતકાળમાં અહીં આવી ઘણી ઘટનાઓ બની છે, જેના માટે ઇસ્લામિક સ્ટેટને જવાબદાર ગણવામાં આવે છે.


ગુરુવારે સીરિયાની રાજધાની દમાસ્કસ પાસે એક સૈન્ય બસમાં વિસ્ફોટનો મામલો સામે આવ્યો છે. જેમાં 18 જવાનો શહીદ થયા હતા અને 27 ઘાયલ થયા હતા. સીરિયન મીડિયાએ સૈન્ય સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.


છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવાં કેટલાંય હુમલા થયા છે જેમાં ડઝનેક લોકોનાં મોત થયાં છે અને ડઝનેક ઘાયલ થયા છે.ગયા મહિને માર્ચ મહિનામાં સેન્ટ્રલ સીરિયામાં પાલમિરા પાસે આતંકવાદીઓએ એક સૈન્ય બસ પર હુમલો કર્યો હતો. જેમાં 13 જવાનો શહીદ થયા હતા અને 18 ઘાયલ થયા હતા.સીરિયન અધિકારીઓએ અગાઉ આવા હુમલાઓ માટે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા છે. આ આતંકવાદી જૂથ દક્ષિણ અને મધ્ય સીરિયામાં સક્રિય છે. મધ્ય સીરિયા 2019 માં ઇસ્લામિક સ્ટેટના કબજામાંથી મુક્ત થયું હતું.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.