રાજસ્થાનના હનુમાનગઢમાં મિગ-21 ફાઈટર જેટ ક્રેશ, 3 મહિલાઓનું મોત, બંને પાયલોટ સુરક્ષિત


  • Published By :
  • Published Date : 2023-05-08 13:56:36

રાજસ્થાનના હનુમાન ગઢમાં સોમવારે સવારે લગભગ 10.25 વાગ્યે ભારતીય હવાઈ દળનું મિગ-21 ફાઈટર જેટ વિમાન ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓનું મોત થયું છે. જ્યારે એક પુરૂષ સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. જેમાં એક ઘાયલની સ્થિતી ચિંતાજનક છે. ફાઈટર જેટના પાયલોટ રાહુલ અરોડા અને કો-પાયલોટ સુરક્ષિત છે.


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


હનુમાન ગઢમાં ક્રેસ થયેલા મિગ-21 વિમાનના પાયલોટ રાહુલ અરોડા તેને ઉડાવી રહ્યા હતા. ફાઈટર જેટએ સુરતગઢ એરબેઝથી ઉડાન ભરી હતી. ઉડાન ભરી તેની 15 મિનિટ બાદ જ ટેકનિકલ ખરાબીના પગલે પાયલોટએ વિમાન પરથી પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. જો કે પાયલોટએ તેમની આંતરસુઝ લગાવીને તે વિમાનને રહેવાસી વિસ્તારોથી દુર લઈ ગયા, પરંતું વિમાન જે મકાન ઉપર પડ્યું તે ગામથી દુર હતું. બાદમાં તે બંને પાયલોટએ પેરાશૂટની મદદથી વિમાન પરથી સુરક્ષિત રીતે પડતું નાખ્યું હતું. કેટલાક લોકો તેમની મદદ માટે દોડી પહોંચ્યા હતા. વિમાન જે ઘર પર પડ્યું તેને આગથી બચાવવા માટે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.