નવસારીના પીપલ ગભાણ ગામની શાળામાં અપાતા મધ્યાહન ભોજનમાંથી ગરોળી નિકળતા ખળભળાટ, નાયક ફાઉન્ડેશને તૈયાર કર્યું હતું મીડ-ડે મીલ


  • Published By :
  • Published Date : 2023-06-09 20:19:56

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ચાલતી મધ્યાહન ભોજન યોજના ગામડાના ગરીબ વિદ્યાર્થીઓ માટે વરદાન સ્વરૂપ છે. જો કે આ યોજના હેઠળ આપવામાં આવતા ભોજનને લઈ અનેક વખત સવાલો ઉઠ્યા છે. મધ્યાહન ભોજન યોજના અન્વયે વિદ્યાર્થીઓને અપાતા ભોજનમાં સ્વચ્છતાનો અભાવ સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે. જેમ કે નવસારીના ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામની પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતા મીડ ડે મીલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. બાળકોને પીરસવામાં આવતી દાળની અંદરથી ગરોળી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાથમિક શાળાના ભોજનમાં મૃત હાલતમાં ગરોળી નીકળી હતી, તે પછી પીરસાયેલા ભોજન સામે અને સવાલો ઉભા થયા હતા. ઘટના બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


નાયક ફાઉન્ડેશને તૈયાર કર્યું હતું મધ્યાહન ભોજન

 

મળતી વિગતો મુજબ ચીખલીના પીપલગભણ ગામની પ્રાથમિક શાળામાં રોજની જેમ આજે પણ મધ્યાહન ભોજન યોજના હેઠળ શાળામાં બાળકો જમવા બેઠા હતા. બાળકોને ભાત પર દાળ રેડવામાં આવી ત્યારે થાળીમાં ગરોળી દેખાઈ હતી. પીપલગભણ ગામ સહિત નવસારી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનનું વિતરણ કરવાનો કોન્ટ્રાક્ટ ખાનગી સંસ્થા ‘નાયક ફાઉન્ડેશન’ને આપવામાં આવ્યો છે. પીપલગભણ ગામની પ્રાથમિક શાળામાં અપાતા મીડ-ડે મિલનું ભોજન પણ ‘નાયક ફાઉન્ડેશન’ને જ  તૈયાર કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે નાયક ફાઉન્ડેશનને નવસારી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનનું વિતરણ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે પણ તેની સામે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.


અનંત પટેલે પણ નાયક ફાઉન્ડેશનનો કર્યો હતો વિરોધ


નાયક ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે આ અગાાઉ 2017માં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ અવાજ ઉઠાવ્યો હતો. અગાઉ પણ ઘણી વખત શાળામાં ભોજનમાંથી જીવડા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. આજે ફરી એકવાર દાળની અંદર ગરોળી હોવાનું સામે આવતા તેની માહિતી માહિતી પ્રાથમિક શિક્ષણ વિભાગને આપવામાં આવી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.