અમદાવાદમાં યોજાનારી IPL મેચને લઈ મેટ્રો ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર! જાણો શું રહેશે સમય અને શું છે ટિકિટનો ભાવ?


  • Published By :
  • Published Date : 2023-05-26 14:03:32

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચ યોજાવાની છે. મેચને ધ્યાનમાં રાખી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેને લઈ સવારના 7થી રાત્રીના 1.30 વાગ્યા સુધી ટ્રેન દોડાવામાં આવશે. GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. ટિકિટનો દર 25 રુપિયા નક્કી કરવામાં આવ્યો છે. મુસાફરોનો ઘસારો ઓછો થાય તે માટે પેપર ટિકિટ એડવાન્સમાં પણ મેળવી શકાશે. મેચને ધ્યાનમાં રાખી મેટ્રો સેવાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 


GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી!

આઈપીએલ મેચનો ક્રેઝ લોકોમાં હાલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 26મે અને 28મેના રોજ મેચ યોજાવાની છે. મેચને લઈ સ્ટેડિયમમાં લોકોને ઘસારો જોવા  મળ્યો હતો. ત્યારે લોકોને અગવડ ન પડે તે માટે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રો દ્વારા પણ ક્રિકેટ રસીયાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.  GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. 


ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર! 

ટિકિટનો દર 25 રુપિયા નક્કી કરવામાં આવ્યો છે. 25 રુપિયાના ફિક્સ દરે કોઈપણ મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ સુધી મુસાફરી કરી શકશે. મેટ્રોના સમયમાં પણ મેચને ધ્યાનમાં રાખી ફેરફાર કરવામાં આવ્યો છે. સવારના 7 વાગ્યાથી રાત્રિના 1.30 વાગ્યા સુધી ટ્રેનની સેવાઓને લંબાવામાં આવી છે. મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે દર્શાવેલા આઈપીએલ મેચોના દિવસોમાં પરત ફરવા, સ્પેશિયલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. ટિકિટ ખરીદવા માટે રાહ જોવી ન પડે તે માટે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પર અગાઉથી બપોરે 12 વાગ્યાથી સ્પેશિયલ પેપર ટિકિટની ખરીદી કરી શકાશે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.