મેટ્રોમાં મુસાફરીનું અમદાવાદીઓ સપનું થશે સાકાર, PM મોદી આપશે મેટ્રોની ગિફ્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 12:59:05

અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરવા તલપાપડ લોકોની લાંબા સમયથી ઈચ્છા હવે પુરી થતી જણાઈ રહી છે. મેટ્રોના કારણે શહેરના ત્રાસદાયક ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે.  CMRSના અધિકારીઓ દ્વારા ઉત્તર-દક્ષિણ મેટ્રો કોરિડોરનું અંતિમ ઈન્સ્પેક્શન પૂર્ણ કરાયું છે. ઉત્તર અને દક્ષિણ અમદાવાદને જોડતા રૂટનું ચીફ મેટ્રો રેલ સેફ્ટી દ્વારા અંતિમ પરીક્ષણ કરવામાં આવ્યું છે. મેટ્રો રૂટના ફેઝ-1નું ઈન્સ્પેક્શન પૂર્ણ કરતા મેટ્રોમાં સફરનું સપનું સાકાર થશે.


શહેરમાં ક્યારથી દોડશે મેટ્રો ટ્રેન 


સુત્રોના જણાવ્યા પ્રમાણે નવરાત્રીના પ્રારંભથી જ મેટ્રો ટ્રેન શરૂ થઈ જશે. પ્રધાનમંત્રી મોદી મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરશે. મેટ્રો ટ્રેનના ફેઝ-1માં 2 કોરિડોર હશે. જેમાં APMCથી મોટેરા સુધી અને વસ્ત્રાલથી થલતેજ સુધી મેટ્રો ટ્રેનમાં સફર કરી શકાશે. અવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મેટ્રો ટ્રેન શરૂ થયાના પ્રથમ દિવસે ટિકિટ માત્ર 5 રૂપિયા હશે. જ્યારે અન્ય દિવસોમાં મેટ્રો ટ્રેનમાં APMCથી વસ્ત્રાલ સુધીની ટિકિટ 25 રૂપિયા હશે. આ ઉપરાંત થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીનું ભાડું પણ 25 રૂપિયા જ હશે. બંને રેલ રૂટના 40 કિમીમાં આવતા 32 રેલ્વે સ્ટેશનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બંને રૂટ પર ત્રણ કોચ સાથે પ્રતિ કલાક 80 કિમીની ઝડપે મેટ્રો ટ્રેન દોડશે. દરરોજ સરેરાસ 40 હજાર લોકો મુસાફરી કરે તેવું અનુમાન છે.



મેટ્રો સ્ટેશનથી BRTS સ્ટેશન સુધી ઈ-રિક્ષાની સુવિધા


મેટ્રો સ્ટેશનથી મુસાફરોને અન્ય વાહન મળી રહે તે માટે ઈ-રિક્ષાની વ્યવસ્થા કરાશે. ઈ-રિક્ષા દ્વારા મુસાફરો મહત્વના સ્થળો પર ઝડપથી પહોંચી શકે તે માટે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વિચારણા  કરવામાં આવી છે. ST સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન સાથે મેટ્રો સ્ટેશનને સીધા જોડવા માટે ઈ-રિક્ષા દોડતી કરાશે. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.