બાંગ્લાદેશમાં શરૂ થઈ મેટ્રો ટ્રેનની સુવિધા


  • Published By :
  • Published Date : 2022-12-30 12:36:37

બાંગ્લાદેશમાં આજથી મેટ્રો ટ્રેનનો પ્રારંભ થયો છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન દિયાબારી અને અગરગાંવ સ્ટેશનની વચ્ચે દોડશે. પીએમએ ઢાંકાથી ટ્રેનને લીલી ઝંડી બતાવી છે ઉપરાંત ટ્રેનની સફર પણ કરી હતી. મળતી માહિતી અનુસાર જાપાનના સહયોગથી બાંગ્લાદેશમાં મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. 

Image


Image


Image


પોતાની બહેન સાથે મેટ્રોમાં કરી સફર

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઢાંકાથી પ્રથમ મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવી છે. આ ટ્રેન દિયાબારી અને અગરગાંવ સ્ટેશન વચ્ચે દોડવાની છે. હસીનાની રાજકીય પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની માહિતી આપવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશે ઈલેક્ટ્રિક ટ્રેનના યુગમાં પ્રવેશ કરી દીધો છે. શેખ હસીનાએ પ્રથમ મેટ્રો ટ્રેનનો શુભારંભ કર્યો છે. પીએમએ પોતાની બહેન શેખ રહેના સાથે મેટ્રોમાં મુસાફરી કરી છે. 2016માં આ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.        




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.