કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત Ambalal Patelએ કરી વરસાદની આગાહી, આ તારીખ દરમિયાન આવી શકે ધોધમાર વરસાદ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-22 16:27:46

વરસાદને લઈ જાણે જાણવું હોય ત્યારે બે આગાહીઓ પર ધ્યાન સામાન્ય રીતે લોકો આપતા હોય છે.. એક હવામાન વિભાગની આગાહી અને બીજી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી... ત્યારે વરસાદને લઈ અંબાલાલ કાકાએ આગાહી કરી છે 26મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.. આ સમય દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે આ સમય દરમિયાન.. તે ઉપરાંત 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે...


26 તારીખ સુધી કરવી પડશે કાળઝાળ ગરમી સહન

કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે.. વરસાદની રાહ લોકો કાગડોળે જોઈ રહ્યા છે... વરસાદ ક્યારે આવે અને ક્યારે આ ગરમીમાંથી મુક્તિ મળે તેની લોકોને આતુરતા છે. 26 તારીખ બાદ રાજયના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થશે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે... 26 મે સુધી આવી કાળઝાળ ગરમી સહન કરવી પડશે.. આકરી ગરમીનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી વાત તેમણે કરી હતી. તેમની આગાહી અનુસાર 46 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચી શકે છે. 


આ તારીખ બાદ ગુજરાતમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી

વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વખતે બંગાળના ઉપસાગરમાં એક નહીં બે બે ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે. ભારે પવન પણ વહી શકે છે તેવી આગાહી તેમણે કરી છે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું પ્રવેશી શકે છે તેવી વાત તેમના દ્વારા કરાઈ છે. ગુજરાતમાં 7થી 14 જૂનની વચ્ચે ચોમાસું બેસી છે તેવું અનુમાન તેમણે લગાવ્યું છે. મહત્વનું છે કે હાલ અનેક શહેરોનું તાપમાન 45 ડિગ્રી પર પહોંચી ગયું છે.. અનેક શહેરો એવા હતા જ્યાં આ આંકડો પાર થઈ ગયો છે.     



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.