કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત Ambalal Patelએ કરી વરસાદની આગાહી, આ તારીખ દરમિયાન આવી શકે ધોધમાર વરસાદ!


  • Published By :
  • Published Date : 2024-05-22 16:27:46

વરસાદને લઈ જાણે જાણવું હોય ત્યારે બે આગાહીઓ પર ધ્યાન સામાન્ય રીતે લોકો આપતા હોય છે.. એક હવામાન વિભાગની આગાહી અને બીજી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી... ત્યારે વરસાદને લઈ અંબાલાલ કાકાએ આગાહી કરી છે 26મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.. આ સમય દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે આ સમય દરમિયાન.. તે ઉપરાંત 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે...


26 તારીખ સુધી કરવી પડશે કાળઝાળ ગરમી સહન

કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે.. વરસાદની રાહ લોકો કાગડોળે જોઈ રહ્યા છે... વરસાદ ક્યારે આવે અને ક્યારે આ ગરમીમાંથી મુક્તિ મળે તેની લોકોને આતુરતા છે. 26 તારીખ બાદ રાજયના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થશે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે... 26 મે સુધી આવી કાળઝાળ ગરમી સહન કરવી પડશે.. આકરી ગરમીનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી વાત તેમણે કરી હતી. તેમની આગાહી અનુસાર 46 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચી શકે છે. 


આ તારીખ બાદ ગુજરાતમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી

વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વખતે બંગાળના ઉપસાગરમાં એક નહીં બે બે ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે. ભારે પવન પણ વહી શકે છે તેવી આગાહી તેમણે કરી છે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું પ્રવેશી શકે છે તેવી વાત તેમના દ્વારા કરાઈ છે. ગુજરાતમાં 7થી 14 જૂનની વચ્ચે ચોમાસું બેસી છે તેવું અનુમાન તેમણે લગાવ્યું છે. મહત્વનું છે કે હાલ અનેક શહેરોનું તાપમાન 45 ડિગ્રી પર પહોંચી ગયું છે.. અનેક શહેરો એવા હતા જ્યાં આ આંકડો પાર થઈ ગયો છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.