હવામાન વિભાગની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા, Gujaratમાં આ તારીખો દરમિયાન માવઠાની કરાઈ આગાહી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-21 11:22:29

ગુજરાતમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. લોકો શિયાળા માટેની તૈયારી કરી રહ્યા છે તો ફરી એક વખત ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 26-27 નવેમ્બર વચ્ચે માવઠું આવી શકે છે.  માવઠાની આગાહી થતા ખેડૂતો પર ચિંતાના વાદળ ઘેરાયા છે. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થશે તેનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. 


26 અને 27 નવેમ્બરે ગુજરાતમાં વરસી શકે છે વરસાદ! 

ખેડૂતોની ચિંતા ત્યારે વધતી હોય છે જ્યારે સિઝન હોવાં છતાંય વરસાદ નથી આવતો, કોઈ વખત આવે છે તો એટલો બધો આવે છે કે ખેડૂતોને રડવાનો વારો આવે છે. ચોમાસાની સિઝનમાં વરસાદ ખેડૂતોની ચિંતા વધારતો હોય છે પરંતુ તે ઉપરાંત કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોળી બનતી હોય છે. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જેને કારણે ખેડતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. પાકને મોટા પાયે નુકસાન થશે તેવી ભીતિ ખેડૂતોને પરેશાન કરી રહી છે. ગુજરાતમાં 26-27 નવેમ્બર વચ્ચે માવઠું આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.   


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ! 

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર 26 નવેમ્બરે દમણ-દાદરા નગર હવેલીમાં,દાહોદ,પંચમહાલ,અમરેલી,ભાવનગર,દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથમાં વરસાદ થઈ શકે છે. જુનાગઢ,પોરબંદર,રાજકોટમાં જ્યારે 27 નવેમ્બરના દમણ-દાદરા નગર હવેલી,અમદાવાદ,આણંદ,અરવલ્લી, ગાંધીનગર,ખેડા,મહીસાગર,મહેસાણા, અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ માવઠાને કારણે પાકને ભારે નુકસાન થશે તેવો ડર ખેડૂતોને લાગી રહ્યો છે. 


માવઠાની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા 

કમોસમી વરસાદની આગાહી કરતા હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ છઠ્ઠા અને સાતમા દિવસે રાજ્યના અનેક ભાગોમાં મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી સાચી સાબિત થાય છે કે પછી...!      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.