દેશમાં ચોમાસાના વિધિવત્ત આગમનને મોડું થશે, જાણો હવામાન વિભાગે શું કારણ આપ્યું?


  • Published By :
  • Published Date : 2023-06-05 20:00:17

ગુજરાત સહિત દેશભરમાં ચોમાસાના આગમનની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતોએ થોડા દિવસ રાહ જોવી પડશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેરળમાં ચોમાસાની એન્ટ્રીને હજુ પણ ત્રણથી ચાર દિવસનો સમય લાગી શકે છે. દેશમાં આ વર્ષે નૈઋત્યના ચોમાસાના વિધિવત્ત આગમનને મોડું થશે. ચોમાસાની આગળ વધવાની તાજી સ્થિતિ ચોમાસુ કેરળમાં ક્યારે બેસશે તે અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી અને આગામી બે-ત્રણ દિવસમાં સાચો રિપોર્ટ મળી જશે. હાલ તો હવામાન વિભાગ ચોમાસાને લઈ નિરીક્ષણ કરી રહ્યું છે. આગામી દિવસોમાં ચોમાસા અંગે જાહેરાત કરશે. 


દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર વાદળછાયું વાતાવરણ


હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે અને તે વાદળછાયું છે. ખૂબ જ ટૂંક સમયમાં મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કેરળના કિનારા તરફ ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે. જો કે, હવામાન વિભાગે કહ્યું કે આગામી બે-ત્રણ દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થશે કે ચોમાસું કેરળમાં ક્યારે આગમન કરશે.


કેરળમાં 7 જૂને થઈ શકે ચોમાસાની એન્ટ્રી 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળમાં 7 જૂને નૈઋત્યનું ચોમાસું દસ્તક આપશે. વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસું એક અઠવાડિયાના વિલંબ સાથે આવશે, જે સામાન્ય રીતે 1 જૂને જ આવતું હતું. હવામાન વિભાગે થોડા દિવસો પહેલા આગાહી કરી હતી કે ચોમાસું 4 જૂને કેરળના દરિયાકાંઠે વેસી જશે, પરંતુ તેમ થયુ નથી. આનું કારણ આપતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ અરબી સમુદ્રમાં પશ્ચિમી પવનો સરેરાશ દરિયાઈ સપાટીથી 2.1 કિમી સુધી ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે ચોમાસાને આગળ વધવામાં અસર થઈ શકે છે.


દેશના અન્ય ભાગોમાં પણ વરસાદ ખેંચાશે 


કેરળમાં ચોમાસાના વિલંબના કારણે, દેશના અન્ય ભાગોમાં પણ ચોમસાને બેસવાને વિલંબ થવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગે કેરળમાં ચોમાસાના આગમનની અપેક્ષિત તારીખ નથી જણાવી, પરંતુ કહ્યું કે ચોમાસું અન્ય સ્થળોએ પણ મોડું થાય તે જરૂરી નથી, એકવાર કેરળમાં ચોમાસાનું આગમન થાય ત્યાર બાદ, દેશના અન્ય ભાગમાં આગળ વધવા અંગે આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!