દેશના આ રાજ્યો માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી! હિમવર્ષાને કારણે ચારધામ યાત્રામાં આવ્યું વિધ્ન!


  • Published By :
  • Published Date : 2023-05-02 12:59:12

ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ બની ગયો છે. અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક રાજ્યોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉનાળામાં ચોમાસા જેવો વરસાદ થતાં જાણે ઉનાળો બાયપાસ થઈ ગયો હતો તેવું લાગી રહ્યું છે. વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગરમીથી તો લોકોને રાહત મળી છે પરંતુ વરસાદને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 


આ રાજ્યોમાં વરસશે કમોસમી વરસાદ!

એપ્રિલ મહિનાની શરૂઆતમાં આમ તો કાળઝાળ ગરમી વરસતી હોય છે પરંતુ આ વખતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદ થતાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે દિલ્હીનું તાપમાન 27 ડિગ્રી આસપાસ નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે એટલે કે બીજી મેના રોજ કેરળ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં પવન સાથે વરસાદ વરસી શકે છે. 


વાતાવરણમાં પ્રસરી ઠંડક!

ગુજરાતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં માવઠાને કારણે તાપમાનનો પારો નીચે નોંધાયો છે. ગુજરાતમાં પણ આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાની આગાહી કરી છે. ઉત્તરપ્રદેશના પણ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ પડવાને કારણે તાપમાનનો પારો સતત નીચે થઈ રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 


ખેડૂતોના પાકને થયું નુકસાન!

વરસાદ તેમજ હિમવર્ષાને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હાલ ચારધામની યાત્રા ચાલી રહી છે. ત્યારે હિમવર્ષાને કારણે  ચારધામ યાત્રામાં વિધ્ન આવ્યું છે. કેદારનાથ માટે શ્રદ્ધાળુઓનું રજિસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં ગરમીનું પણ પ્રમાણ વધી શકે છે. વરસાદને કારણે ધરતીપુત્ર ચિંતિત થઈ ગયા છે. ખેતરમાં થયેલા પાકને વ્યાપક નુકસાન થયું છે. જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.