કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, આ તારીખે આ જગ્યાઓ પર આવશે માવઠું, કુદરતનો માર સહન કરવા ખેડૂતો મજબૂર!


  • Published By :
  • Published Date : 2023-03-20 10:39:01

રાજ્યમાં ઉનાળાના સમય દરમિયાન પડી રહેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. અનેક દિવસોથી રાજ્યમાં માવઠાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવારે પણ અનેક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડવાનો છે તેની માહિતી વિગતવાર આપવામાં આવી છે. 


આ વિસ્તારોમાં આવનાર દિવસોમાં થઈ શકે છે વરસાદ 

કમોસમી વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ 20 માર્ચે સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, કચ્છ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં  વરસાદી ઝાપટા પડશે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, પોરબંદર, અરવલ્લી, જૂનાગઢમાં તેમજ કચ્છમાં 21 માર્ચે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, જામનગર, અમરેલી, ભાવનગરમાં 22 માર્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. 23 માર્ચ માટે કરવામાં આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, જૂનાગઢ. ભાવનગર, દ્વારકા. ગીર સોમનાથમાં કમોસમી વરસાદને કારણે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે 24 માર્ચે સાબરકાંઠા, રાજકોટ, જામનગર, અમરેલી. ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, ભાવનગરમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં  આવી છે. મહત્વનું છે કે રવિવારે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. 



મુખ્યમંત્રીએ કમોસમી વરસાદને લઈ યોજી બેઠક 

માવઠાને પગલે રવિવારે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી. બેઠકમાં પાકને થયેલા નુકસાન અંગે, રાહત અને બચાવ અંગેની કામગીરીને લઈ ચર્ચા કરવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરો જોડે બેઠક કરી હતી જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનને લઈ ચર્ચા કરવામાં આવી હતી. 



શાકભાજીના ભાવમાં આવી શકે છે તેજી  

ઉનાળાના સમયે થઈ રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. રાતા પાણીએ રડવાનો વારો ખેડૂતોને આવ્યો છે. ખેતરમાં પાણી ભરાવાને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. કેસર કેરીના પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર છરી પડ્યા છે. જેને કારણે આવનાર દિવસોમાં મોંઘા ભાવે કેરીનો સ્વાદ લેવો પડશે તેવું લાગી રહ્યું છે. શાકભાજીને પણ ઘણું નુકસાન થયું છે. જેને કારણે આવનાર દિવસોમાં શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. ઉપરાંત કેરી પણ મોંઘી અને મોડી આવશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. વધતી મોંઘવારીને લઈ ગૃહિણીનું બજેટ ખોરવાઈ શકે છે.     




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!