Chaitar Vasavaને લઈ આવ્યા સંદેશ, જાણો Dediapada AAPના કાર્યકર્તાઓને શું આપી સલાહ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-23 12:02:05

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમની ચર્ચાઓ થઈ રહી છે. વનવિભાગના કર્મચારીને માર મારવાને લઈ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. ફરિયાદ થતા જ ચૈતર વસાવા ફરાર થયા હતા. પરંતુ થોડા સમય પહેલા તે પોલીસ સમક્ષ હાજર થયા હતા. જ્યારે પોલીસ સમક્ષ તે હાજર થયા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર હતા. ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ તેમના સમાચાર આવતા રહે છે અને તાજેતરમાં જ સમાચાર આવ્યા કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે.  

ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે!

નર્મદામાં વસાવા વિરૂદ્ધ વસાવાની રાજનીતિ ગરમાઈ રહી છે. અનેક વખત આને લઈ ચર્ચાઓ થતી રહે છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક બોલાચાલી થતી રહે છે. આ બધા વચ્ચે મુમતાજ પટેલ પણ ચર્ચામાં રહ્યા. ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થતા હાલ તે જેલમાં જે પરંતુ એવી માહિતી સામે આવી છે કે તે ગમે ત્યાં હશે ત્યાંથી ચૂંટણી લડશે. લોકસભાની ચૂંટણીને લઈ તેમણે જેલમાંથી એક સંદેશો મોકલ્યો છે. આપના કાર્યકર્તાઓને ચૂંટણીને લઈ તૈયારીઓ કરવાની વાત કહી છે.


ચૈતર વસાવાના પત્ની કરી શકે છે રાજકારણમાં એન્ટ્રી 

એક તર્ક એવો પણ છે કે ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાને ચૂંટણી માટે ઉભા રાખવામાં આવી શકે છે. ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ તેમના પત્ની ડેડિયાપાડામાં લોકોની મદદ કરી રહ્યા છે. મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી હતી અને ચૈતર વસાવાને ન્યાય મળે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે એવું લાગી રહ્યું કે વર્ષા વસાવા પણ રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે. ત્યારે આવનાર સમયમાં શું થાય છે તે જોવું રહ્યું.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.