ભારતીયોની બચતવૃતિના કારણે mercedes-benzની ગાડીઓ વેચાતી નથી: CEO


  • Published By :
  • Published Date : 2022-12-03 16:23:37

દેશમાં mercedes-benzની ગાડીઓ વેચાતી નથી તે મુદ્દે કંપનીના સીઈઓએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કંપનીના સીઈઓ મોટર કારનું વેચાણ ઓછુ થવા માટે ભારતીયોની બચતની આદતને જવાબદાર ઠરાવી છે. ભારતના લોકો વધુ પડતી બચતવૃતિ ધરાવે છે તેના કારણે કંપનીની કારોનું વેચાણ ઘટ્યું છે. જો કે આ મુદ્દે લોકોએ કંપનીના સીઈઓની ખુબ ટીકા થઈ હતી.


શું કહ્યું મર્સિડીઝના CEOએ? 


તાજેતરમાં મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના વેચાણ અને માર્કેટિંગના વાઇસ-પ્રેસિડેન્ટ સંતોષ અય્યર, , ટૂંક સમયમાં જ એમડી અને સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળશે. વડાએ ભારતમાં લોકોની બચતને મર્સિડીઝ કારના વેચાણ સાથે જોડી હતી. મર્સિડીઝ બેન્ઝના વડાએ કહ્યું હતું કે ભારતના લોકોની બચત કરવાની આદતને કારણે ભારતમાં તેમની કારનું વેચાણ વધી રહ્યું નથી. તેમણે કહ્યું હતું કે ભારતમાં લોકો બચત કરવાની આદતને કારણે મર્સિડીઝ જેવી મોંઘી કાર નથી ખરીદતા અને તેના કારણે તેમનું વેચાણ નબળું પડી રહ્યું છે.


નિવેદનનો જોરદાર વિરોધ 

 

મર્સિડીઝ ઈન્ડિયાના CEOના નિવેદનનો વ્યાપાર જગતમાં જોરદાર વિરોધ થયો હતો. કેટલાક લોકોએ કહ્યું કે બચત કરવાનું માઈન્ડ સેટ તમને મુશ્કેલ પરિસ્થિતીઓમાં મજબુતીથી ઉભા રહેવાને લાયક બનાવે છે. આ સમયે દેશ અને દુનિયામાં આર્થિક મંદીનો માહોલ છે અને  ભારત જેવા દેશના લોકોની બચત કરવાની આદત તેમને આર્થિક મંદીના આ સમયમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી શકે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.