ભારતીયોની બચતવૃતિના કારણે mercedes-benzની ગાડીઓ વેચાતી નથી: CEO


  • Published By :
  • Published Date : 2022-12-03 16:23:37

દેશમાં mercedes-benzની ગાડીઓ વેચાતી નથી તે મુદ્દે કંપનીના સીઈઓએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કંપનીના સીઈઓ મોટર કારનું વેચાણ ઓછુ થવા માટે ભારતીયોની બચતની આદતને જવાબદાર ઠરાવી છે. ભારતના લોકો વધુ પડતી બચતવૃતિ ધરાવે છે તેના કારણે કંપનીની કારોનું વેચાણ ઘટ્યું છે. જો કે આ મુદ્દે લોકોએ કંપનીના સીઈઓની ખુબ ટીકા થઈ હતી.


શું કહ્યું મર્સિડીઝના CEOએ? 


તાજેતરમાં મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના વેચાણ અને માર્કેટિંગના વાઇસ-પ્રેસિડેન્ટ સંતોષ અય્યર, , ટૂંક સમયમાં જ એમડી અને સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળશે. વડાએ ભારતમાં લોકોની બચતને મર્સિડીઝ કારના વેચાણ સાથે જોડી હતી. મર્સિડીઝ બેન્ઝના વડાએ કહ્યું હતું કે ભારતના લોકોની બચત કરવાની આદતને કારણે ભારતમાં તેમની કારનું વેચાણ વધી રહ્યું નથી. તેમણે કહ્યું હતું કે ભારતમાં લોકો બચત કરવાની આદતને કારણે મર્સિડીઝ જેવી મોંઘી કાર નથી ખરીદતા અને તેના કારણે તેમનું વેચાણ નબળું પડી રહ્યું છે.


નિવેદનનો જોરદાર વિરોધ 

 

મર્સિડીઝ ઈન્ડિયાના CEOના નિવેદનનો વ્યાપાર જગતમાં જોરદાર વિરોધ થયો હતો. કેટલાક લોકોએ કહ્યું કે બચત કરવાનું માઈન્ડ સેટ તમને મુશ્કેલ પરિસ્થિતીઓમાં મજબુતીથી ઉભા રહેવાને લાયક બનાવે છે. આ સમયે દેશ અને દુનિયામાં આર્થિક મંદીનો માહોલ છે અને  ભારત જેવા દેશના લોકોની બચત કરવાની આદત તેમને આર્થિક મંદીના આ સમયમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી શકે છે.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.