રખડતાં ઢોરનો આતંક : સમસ્યા પર નિયંત્રણ લાવવા AMC દ્વારા કરાઈ આ કામગીરી, હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું, જાણો


  • Published By :
  • Published Date : 2023-07-19 12:32:07

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. રસ્તા પર અવર જવર કરતા લોકો માટે તે ત્રાસ બની જતા હોય છે. ત્યારે વધતા રખડતા ઢોરને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ઉપરાંત અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે શહેરમાં રખડતા ઢોરોના આતંકને શાંત કરવા હાઈકોર્ટે તંત્રને આદેશ આપ્યો હતો. હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી તેમાં ઢોર પકડવા માટે શું કામગીરી કરવામાં આવી તે અંગે પૂછવામાં આવ્યું હતું. ત્યારે હાઈકોર્ટમાં તંત્ર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તંત્રએ 11 મહિનામાં 17 હજાર રખડતાં ઢોર પકડ્યા છે ઉપરાંત  અનેક ઢોરમાલિકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવી છે. 


હાઈકોર્ટમાં રજૂ કરાયું સોગંદનામું!

એક તરફ ખરાબ રસ્તાથી લોકો પરેશાન છે તો બીજી તરફ રસ્તા પર ફરતા રખડતાં ઢોરને લઈ લોકોની પરેશાની વધી છે. અનેક લોકો રખડતાં ઢોરની અડફેટે આવી જતા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને જ્યારે અનેક લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા છે. ત્યારે હાઈકોર્ટના હુકમોનું પાલન નથી થતું તેવી પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. રખડતાં ઢોરનો ત્રાસ તેમજ બિસ્માર રસ્તાના સુધારા અંગે કામ કરવામાં આવ્યું નથી. ત્યારે હાઈકોર્ટમાં એએમસીના સીએનસીડી ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરફથી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. 


11 મહિનામાં પકડાયા આટલા રખડતાં પશુ!

જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું તેમાં ખુલાસો થયો છે કે છેલ્લા 11 મહિનામાં 17,049 જેટલા રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે, જેમાં 980 જેટલી FIR ઢોરમાલિકો સામે નોંધવામાં આવી છે. જાહેરમાં રોડ પર કે ખુલ્લામાં ઘાસ વેચતા 66થી વધુ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત 34,861 કિલો ઘાસનો જથ્થો પણ જપ્ત કરાયો છે. 32,541 ઢોરોના ટેગીંગ કરવામાં આવ્યા છે.  મહત્વનું છે રખડતા શ્વાનનો આતંક પણ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અનેક એવા લોકો છે જે રખડતા શ્વાનના આતંકનો ભોગ બન્યા છે. ત્યારે રાહદારીઓ તેમજ વાહનચાલકોને પડતી મુશ્કેલીનો અંત આવે તે જરૂરી બન્યું છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!